Chhath Puja 2022: દિલ્લીમાં 1100 જગ્યાએ થશે છઠ પૂજાનુ આયોજન, કેજરીવાલ સરકારનુ એલાન
દિલ્લીની કેજરીવાલ સરકારે રાજધાનીમાં 1100 જગ્યાએ છઠ પૂજાનુ આયોજન કરવાનુ એલાન કરીને મોટી ભેટ આપી છે.
દિલ્લીની કેજરીવાલ સરકારે રાજધાનીમાં 1100 જગ્યાએ છઠ પૂજાનુ આયોજન કરવાનુ એલાન કરીને મોટી ભેટ આપી છે. આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી. તેમણે કહ્યુ કે કોવિડનો પ્રકોપ ચોક્કસપણે ઓછો થયો છે પરંતુ તે સમાપ્ત થયો નથી. તેથી દરેક વ્યક્તિએ આ પૂજામાં કોવિડની માર્ગદર્શિકાનુ પાલન કરવુ જરૂરી છે. સીએમ કેજરવાલે કહ્યુ કે આપણે બધા 30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારી છઠ પૂજામાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈશુ અને સહુની સુખાકારી માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશુ.

તેમણે કહ્યુ કે અગાઉ દિલ્લીમાં છઠ પૂજાનુ આયોજન ખૂબ જ નાના પાયે કરવામાં આવતુ હતુ પરંતુ જ્યારથી દિલ્લીમાં અમારી સરકાર બની છે, અમે તેને મોટા પાયે ઉજવીએ છીએ. જો કે આપણે કોરોનાના પ્રકોપને કારણે બે વર્ષથી છઠની ઉજવણી કરી શક્યા ન હતા પરંતુ આ વખતે આપણે બધા સાથે મળીને આ તહેવાર પ્રેમ અને વિશ્વાસ સાથે ઉજવીશુ. જો કે, આ દરમિયાન તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યુ કે વર્ષ 2014માં દિલ્લી સરકાર માત્ર 69 સ્થળોએ છઠ પૂજાનુ આયોજન કરતી હતી. જેમાં માત્ર 2.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે અમે 1100 સ્થળોએ છઠનો તહેવાર ઉજવીશુ અને 25 કરોડનો ખર્ચ થશે.
સીએમ કેજરીવાલે વધુમાં ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે અને દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાનુ ફરજિયાત રહેશે. તેમણે કહ્યુ કે વીજળી, પાણી, શૌચાલય અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોક આસ્થાનો મહાન તહેવાર છઠ ચાર દિવસ સુધી ચાલે છે. આ વખતે આ પવિત્ર તહેવારની શરૂઆત 28 ઓક્ટોબર 2022 થી 31 ઓક્ટોબર 2022 સુધી થશે.
28 ઑક્ટોબર 2022: નહાય ખાય
29 ઑક્ટોબર 2022: ખરના
30 ઑક્ટોબર 2022: ડૂબતા સૂર્યને અર્ધ્ય(પ્રથમ)
31 ઑક્ટોબર 2022: ઉગતા સૂર્યને અર્ધ્ય(બીજા)
તમને જણાવી દઈએ કે સંતાનના સુખ અને લાંબા આયુષ્ય માટે રખાતા છઠનો તહેવાર બિહાર, યુપીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ એકમાત્ર એવી પૂજા છે જેમાં અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. અસ્ત થતો સૂર્ય મનુષ્યને શાંતિ આપે છે જ્યારે ઉગતો સૂર્ય નવી વિચારસરણી અને નવી દિશા વિશે જણાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
