Video: ધારહરા મીનાર ધસી પડ્યો, 400 લોકો ફસાયા
નવી દિલ્હી, 25 એપ્રિલ: નેપાળમાં આવેલા હાઇ તીવ્રતાવાળા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9 આંકવામાં આવી રહી છે. તેનું કેન્દ્ર બિંદુ પોખરાથી 80 કિમી દુર તામજુંગ છે જે જમીનમાં 31 કિમી અંદર આવેલ છે. અત્યાર સુધીની જાણકારી અનુસાર નેપાળમાં 30 લોકોના મરવાની ખરાઇ કરાઇ ચૂકી છે જ્યારે હજી આ મૃત્યુઆંક 150 સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ન્યૂઝ એજન્સી રોયટર અનુસાર કાઠમાંડૂના ધારહરા મીનારના ધસવાથી 400 લોકોના ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્યની ગતિ વધારી દેવામાં આવી છે. એનડીએમસીની ટીમમાં નેપાળ રવાના થઇ ગઇ છે.
આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 10,600 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નેપાળની સાથે સાથે ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં બિહાર, નેપાળ, અસમ, કોલકાતા, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતમાં 20 લોકોના મોત
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇ લેવલ બેઠક બોલાવી
- ભારતમાં 20ના મોત
- બિહારમાં 15ના મોત
- પશ્ચિમ બંગાળમાં 3ના મોત
- ઉત્તર પ્રદેશમાં 2ના મોત
- નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો
નેપાળ અને ભારતમાં મોતનો મંજર જુઓ વીડિયોમાં...

નેપાળ અને ભારતમાં મોતનો મંજર
આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેપાળ અને ભારતમાં મોતનો મંજર
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.

ભૂકંપની અસર, કાઠમાંડૂ
ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા
હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, કાઠમાંડૂ
ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં મેડિકેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા
હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, રાંચી
રાંચીમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા.
નેપાળ અને ભારતમાં મોતનો મંજર
નેપાળ અને ભારતમાં મોતનો મંજર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
