રાહુલ ભટ્ટ હત્યાકાંડના વિરોધમાં કાશ્મીરી પંડિતો રસ્તા પર, ખીણમાં 350 સરકારી કર્મચારીઓના રાજીનામાં!
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ ઘાટીમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. શુક્રવારે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો અને સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
નવી દિલ્હી, 13 મે : કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ ઘાટીમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. શુક્રવારે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો અને સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન 350 નારાજ કાશ્મીરી પંડિતોએ તેમનું સામૂહિક રાજીનામું લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મોકલી આપ્યું હતું. આ તમામ કાશ્મીરી પંડિતો વડાપ્રધાનના પેકેજના કર્મચારી છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમને યોગ્ય સુરક્ષા આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે. તેમણે લાલ ચોકમાં દેખાવો કરવાની પણ હાકલ કરી છે.

રાહુલની હત્યા બાદ કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાંથી વિરોધ પ્રદર્શનના અહેવાલો સામે આવી રહ્યા છે. શુક્રવારે સવારે બડગામમાં કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પર પોલીસે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો, ત્યારબાદ કાશ્મીરી પંડિતોએ જમ્મુ-અખનૂર હાઈવે બ્લોક કરી દીધો હતો. આ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે કાશ્મીરી પંડિતોને સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી કોઈ નક્કર આશ્વાસન ન મળ્યું ત્યારે તેઓએ સામૂહિક રાજીનામાની જાહેરાત કરી હતી.
બીજી તરફ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાહુલ ભટ્ટના સંબંધીઓ સાથે મુલાકાત કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે મેં પીડિત પરિવારને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. આ ઘડીમાં સરકાર રાહુલ ભટ્ટના પરિવારની સાથે છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોને તેમના ગુનાની ભારે કિંમત ચૂકવવી પડશે.
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈના અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ કવિન્દર ગુપ્તા રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યાં તેને વિરોધનો સામનો કરવો પડ્યો. કાશ્મીરી પંડિતોએ તેમની સામે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનને જોતા કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
