જાણો, કરતારપુર કોરિડોરનું મહત્વ અને કેમ શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરે છે દર્શન
જાણો, અહીં શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કેમ દર્શન કરે છે?
નવી દિલ્હીઃ સરકારે ગુરુવારે એલાન કરી દીધું કે તેઓ પંજાબના ગુરુદાસપુર સ્થિત કરતારપુર કોરિડોરનું આંતરરાષ્ટ્રી બોર્ડર સુધી નિર્માણ કરશે. પાકિસ્તાનની આ ફેસલાની સાથે જ હવે પાકિસ્તાને ફેસલો લેવાનો છે. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે જે પંજાબમાં આવે છે. આ જગ્યા લાહોરથી 120 કિમીના અંતરે છે. જ્યાં આવેલ ગુરુદ્વારામાં 22 સપ્ટેમ્બર 1539ના રોજ ગુરુનાનક દેવજીએ આખરી શ્વાસ લીધો હતો. જાણો, આખરે શું છે સિખ સમુદાય માટે કરતારપુર સાહિબનું મહત્વ અને કેમ તે બંને દેશો વચ્ચે હાલ રાજનીતિનો મદ્દો બની ગયું છે.

શું છે કરતારપુર સાહિબ
કરતારપુર કોરિડોર સિખો માટે સૌથી પવિત્ર જગ્યા છે. કરતારપુર સાહિબ સિખોના પ્રથમ ગુરુ, ગુરુનાનક દેવજીનું નિવાસ સ્થાન છે અને અહીં પર જ તેમનું નિધન થયું હતું. બાદમાં એમની યાદમાં અહીં એક ગુરુદ્વારા પણ બનાવવામાં આવ્યું. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવે છે. આ જગ્યા લાહોરથી 120 કિમીના અંતરે આવેલી છે. ગુરુનાનક દેવે આ જગ્યા પર પોતાની જિંદગીના 18 વર્ષ વિતાવ્યાં હતાં.

શ્રદ્ધાળુઓ દૂરબીનથી કરી શકે છે દર્શન
માત્ર ત્રણ કિમીના અંતરે આવેલ આ સ્થળ શ્રાઈન રાવી નદીની નજીક આવેલ છે અને ડેરા સાહિબ રેલવે સ્ટેશનથી આ પવિત્ર સ્થળ 4 કિમીના અંતરે આવેલ છે. શ્રાઈન ભારત તરફથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શ્રાઈનની આજુબાજુમાં ઘાંસ એકઠું ન થાય અને સમયાંતરે તેની કાપણી-લણણી વગરેની દેખરેખ પાકિસ્તાની ઑથોરિટીઝ રાખે છે. ભારતમાં વસેલા શ્રદ્ધાળુઓ બોર્ડર પરથી દૂરબીનની મદદી દર્શન કરી શકે છે. મે 2017માં અમેરિકા સ્થિત એક એનજીઓ ઈકોસિખે શ્રાઈનની આજુબાજુ 100 એકર જમીનમાં જંગલનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.

પટિયાલાના મહારાજે રકમ આપી
જે-તે સમયે ગુરુદ્વારાની વર્તમાન બિલ્ડિંગ બનાવામાં 1,35,600 રૂપિયામાં તૈયાર થઈ હતી. આ રકમને પટિયાલાના મહારાજ સરદાર ભૂપિંદર સિંહે દાન આપી હતી. બાદમાં 1995માં પાકિસ્તાની સરકારે આ બિલ્ડિંગનું સમારકામ કરાવ્યું હતું અને વર્ષ 2004માં આ કામ પૂરું થઈ શખ્યું. જોકે તેની બાજુમાં આવેલ રાવી નદી આ બિલ્ડિંગની દેખરેખ માટે કેટલીય મુશ્કેલીઓ પેદા કરે છે. વર્ષ 2000માં પાકિસ્તાને ભારતથી આવતા સિખ શ્રદ્ધાળુઓને બોર્ડર પર એક પુલ બનાવીને વીજા ફ્રી એન્ટ્રી આપવાનો ફેસલો કર્યો હતો. વર્ષ 2017માં ભારતની સંસદીય સમિતિએ કહ્યું કે સંબંધો એ હદી બગડી ગયા કે કોરિડોર સંભવ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
