સ્કૂલ બસ પર પથ્થર મારનારા સામે હત્યાનો કેસ બનવો જોઇએ? શું કહો છો?
ગુરુગ્રામની સ્કૂલ બસ પર પદ્માવત ફિલ્મનો વિરોધ કરવા માટે કરવામાં આવ્યો પથ્થમારો.આ કેસમાં હાલ 18 લોકોને પકડવામાં આવ્યા છે.પણ શું તેમને પર માનવ હત્યાનો કેસ થવો જોઇએ.જાણો વધુ અહીં
પદ્માવત ફિલ્મ વિરુદ્ધ દેશભરમાં વિવાદ થઇ રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આગચાંપી, તોડફોડ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે એક તેવી ઘટના બની જેણે માનવતાનું માથું નીચું કરી દીધું છે. અને તે સવાલ પુછવા મજબૂર કરી લીધા છે કે આવા વિરોધ કેટલો યોગ્ય? વાત છે દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામની. ગુરુગ્રામમાં એક શાળાથી છૂટીને જ્યારે બાળકો ઘરે જઇ રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ બસને રોકી તેની પર પથરાવ શરૂ કરી દીધો. આ કારણે બસનો કાચ પણ તૂટી ગયો. અને અંદર અનેક માસૂમ બાળકો ડરના માર્યા ચીસો પાડી ઉઠ્યા. શિક્ષકો અને સ્ટાફની સમજદારીથી બાળકોને નીચે બેસાડી દેવામાં આવ્યા અને આ ઘટનામાં બાળકોનો આબાદ બચાવી થયો. આ વાતનો એક વીડિયો પણ રહાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રોતા બાળકો અને સ્કૂલ બસનો તૂટેલો કાચ થોડા શબ્દોમાં ધણું કહી જાય છે. સ્કૂલના સ્ટાફનું કહેવું છે કે જેવા જ અમે સ્કૂલની બહાર નીકળ્યા અમારી બસ પર હુમલો થયો. પોલીસ પણ તે લોકોને નિયંત્રિત કરવામાં અસફળ રહી હતી. અને અમે બાળકોને કોઇ રીતે અંદર જ કવર કરવામાં સફળ રહ્યા.

સ્કૂલબસ પર પથ્થરમારો
નોંધનીય છે કે આજે કોંગ્રેસથી લઇને ભાજપ આ ઘટનાને વખોડી રહ્યું છે. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપ જ ભારતમાં નફરતની આ આગ ફેલાવી રહ્યું છે. તંત્ર પણ આ મામલે કરણી સેના શાંતિ પૂર્વક વિરોધ કરવાની અપીલ કરી રહ્યું છે. જો કે ગુરુગ્રામમાં થયેલી આ ઘટના પછી પોલીસે 18 લોકોની અટક કરી છે. અને આ મામલે તેમને રમખાણ કરવાના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ગુરુગ્રામની જી ડી ગોયેન્કા વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આ દુર્ઘટના બની હતી.
રમખાણ કે માનવ હત્યા
જો કે જે ગુસ્સાયેલા લોકોને વિરોધ કરવા માટે બાળકોની સ્કૂલ બસ પર પથ્થર મારવામાં હાથ નથી કાંપતા તેવા લોકો પર રમખાણની કલમ લગાવવાની બદલે માનવ હત્યાની કલમ લગાવાની તેમની સામે કડક પગલાં લેવા જોઇએ જેથી કરીને આવનારા સમયમાં તોફાનો કરવાના ચક્કર લોકો સારા કે ખરાબ વચ્ચેનો ભ્રમ યોગ્ય રીતે સમજતા થાય. જો કે બસ પર થયેલા હુમલામાં બાળકોને ઇજા નથી થઇ પણ તેમ છતાં બાળકોને વિરોધના વંટોળમાં જોડવા અને સ્કૂલ બસ પર પથ્થરમારો કરવો કેટલો યોગ્ય છે? તે સવાલ જરૂરથી આપણે પૂછવો જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
