કર્ણાટક: કોંગ્રેસ પછી જેડીએસના બધા મંત્રીઓ રાજીનામુ આપશે
કર્ણાટકમાં કોંગ્રેસના 21 મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપ્યા પછી જેડીએસના બધા જ મંત્રીઓ પોતાના પદથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે.
કર્ણાટકમાં કોંગ્રેસના 21 મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપ્યા પછી જેડીએસના બધા જ મંત્રીઓ પોતાના પદથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે. સીએમ ઓફિસ ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આખું મંત્રીમંડળ નવી રીતે ગઠિત કરવામાં આવશે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર કોઈ જ પરેશાની નથી. વિધાયકોના રાજીનામાં પર જે સમસ્યા છે, તેને ઉકેલી લેવામાં આવશે અને સરકાર આગળ ચાલતી રહેશે. હાલમાં કર્ણાટક સરકારમાં ઘણી હલચલ જોવા મળી રહી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હાલની સરકાર જલ્દી પડી જશે. પરંતુ સીએમ કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર પર કોઈ પણ પ્રકારનું સંકટ નથી.
આ પણ વાંચો: કર્ણાટકમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેનાથી અમારે કોઈ લેવાદેવા નથી: રાજનાથ સિંહ

13 વિધાયકો રાજીનામુ આપી ચુક્યા છે
કર્ણાટકમાં શનિવારે રાજકીય હલચલ શરુ થઇ, જયારે કોંગ્રેસ અને જેડીએસના 13 વિધાયકોએ સ્પીકરને રાજીનામુ આપી દીધું. મંગળવારે સ્પીકરને તેના પર નિર્ણય કરવાનો છે. રાજીનામાં પછી કોંગ્રેસ અને જેડીએસ સિનિયર નેતાઓ વિધાયકોનો સંપર્ક કરવાની કોશિશમાં લાગ્યા છે.

કોંગ્રેસથી મંત્રીઓ રાજીનામુ આપી ચુક્યા
શનિવારે શરુ થયેલું રાજકીય સંકટ સોમવારે મોટું રૂપ લઇ ચૂક્યું છે. કોંગ્રેસ કોટાના બધા જ મંત્રીઓ ઘ્વારા પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવને રાજીનામુ આપી દીધું છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ પરમેશ્વરા રાવે પણ રાજીનામુ આપી દીધું છે. પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાર્ટીના 21 મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.

ભાજપ પર કોંગ્રેસ-જેડીએસનો આરોપ
કોંગ્રેસ અને જેડીએસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપા ઘ્વારા તેમના નેતાઓને તોડવા માટે પાણીની જેમાં પૈસા વહાવવામાં આવી રહ્યા છે. ભાજપા ગઠબંધન સરકારને તોડવાની કોશિશ કરી રહી છે. જયારે ભાજપે આ આખા વિવાદ અંગે કહ્યું છે કે તેમાં તેમનો કોઈ જ હાથ નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે રાજ્યપાલને મળવા માટે નથી જઈ રહ્યા. અમે મંગળવાર સુધી સ્પીકરના નિર્ણયની રાહ જોઇશુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
