karnataka Muslim Reservation : 4 ટકા મુસ્લિમ અનામત ખતમ કરવા સરકારને ફટકારી નોટીસ, 18 એપ્રિલે થશે સુનાવણી
karnataka Muslim Reservation : કર્ણાટકમાં 4 ટકા મુસ્લિમ આરક્ષણ ખતમ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કર્ણાટક સરકારને નોટીસ ફટકારી છે. હવે આ મામલે આગામી સુનાવણી 18 એપ્રિલના રોજ કરવામાં આવશે.
આ સાથે રાજ્ય સરકારે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, આગામી સુનાવણી પહેલા નવી નીતિ મુજબ કોઇપણ એડમિશન કે નોકરીની ભરતી કરવામાં આવશે નહીં.

કર્ણાટક સરકારનો નિર્ણય પ્રથમ દ્રષ્ટિએ ખામીયુક્ત - સુપ્રીમ કોર્ટ
સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારના નિર્ણય સામે મહત્વની ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો નિર્ણય સંપૂર્ણપણે ખોટી ધારણા પર આધારિત છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારનો વોક્કાલિગા અને લિંગાયતો માટે બે-બે ટકા અનામત વધારવાનો અને મુસ્લિમો માટે ચાર ટકા ઓબીસી અનામત નાબૂદ કરવાનો નિર્ણય પ્રથમ દ્રષ્ટિએ ખામીયુક્ત છે.
રાજ્ય સરકારે કોર્ટને આપી આ ખાતરી
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે, સુનાવણીની આગામી તારીખ સુધી નવી નીતિના આધારે કોઈ પ્રવેશ અથવા નોકરીની ભરતી કરવામાં આવશે નહીં. કોર્ટે આ મામલે બોમાઈ સરકારને નોટિસ મોકલી છે. હવે આ મામલે આગામી સુનાવણી 18 એપ્રિલના રોજ થશે.
કર્ણાટક સરકારનો નિર્ણય?
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પહેલા, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની આગેવાની હેઠળની સરકારે મુસ્લિમો માટે 4 ટકા ફાળવણીને દૂર કરીને રાજ્યના અનામત ક્વોટામાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કર્યા છે.
મુસ્લિમોને 10 ટકા આર્થિક રીતે નબળા વિભાગ (EWS) કેટેગરીમાં લાવવામાં આવ્યા હતા. નવીનતમ ફેરબદલ સાથે, મુસ્લિમોએ હવે EWS ક્વોટા સાથે સ્પર્ધા કરવી પડશે, જેમાં બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્યનો સમાવેશ થાય છે.
કર્ણાટક સરકારે એ પણ નક્કી કર્યું કે, મુસ્લિમો માટેનો 4 ટકા ક્વોટા હવે વોક્કાલિગાસ (2 ટકા) અને લિંગાયતો (2 ટકા)ને આપવામાં આવશે, જેમના માટે ગયા વર્ષે બેલાગવી વિધાનસભા સત્ર દરમિયાન બે નવી અનામત કેટેગરી 2C અને 2D બનાવવામાં આવી હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
