નિપાહ વાયરસનો ડર, કર્ણાટક સરકારે જાહેર કરી એડવાઈઝરી
કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે.
બેંગલુરુઃ કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. જો કે હજુ સુધી માત્ર કેરળમાં જ નિપાહ વાયરસના કેસ મળ્યા છે પરંતુ અન્ય રાજ્યોએ પણ સાવચેતી તરીકે પગલાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આને લઈને કર્ણાટક સરકારે મંગળવારે પોતાના નાગરિકો માટે નિપાહ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કેરળની સીમા પાસેના જિલ્લાઓમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને વધુ સાવચેતી રાખવા માટે કહ્યુ છે.

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસના કારણે કેરળના કોઝીકોડમાં એક 12 વર્ષના બાળકનુ મોત થઈ ચૂક્યુ છે. વળી, અમુક અન્ય આરોગ્યકર્મીઓના પણ સંક્રમિત થયાના સમાચાર છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કહ્યુ છે કે બધા જિલ્લાઓના ડીએમ કેરળથી કર્ણાટક આવતા લોકોમાં તાવ, ગંભીર નબળાઈ, માથામાં દુઃખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી, ઉલટી, માંસપેશીઓમાં દુઃખાવો અને પેટમાં સમસ્યા જેવા લક્ષણોનુ નિરીક્ષણ કરવા માટે ટીમ બનાવો. આ સાથે જ જિલ્લા અધિકારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે નિપાહ વાયરસના પ્રકોપથી જલ્દીમાં જલ્દી ચકાસવા માટે એક સર્વિલાંસ સિસ્ટમ પણ બનાવવામાં આવે.
લોકો વચ્ચે ફેલાવો જાગૃકતા
કર્ણાટક સરકારે આરોગ્ય અધિકારીઓ અને બધા જિલ્લાના ડીએમને નિર્દેશ આપીને કહ્યુ છે કે નિપાહ વાયરસથી બચાવ માટે લોકોમાં જાગૃકતા ફેલાવવામાં આવે. સાથે જ જો કોઈ દર્દીમાં નિપાહ વાયરસ સાથે સંબંધિત લક્ષણો મળે તો જરૂરી સાવચેતી રાખીને સેમ્પલ લઈને પૂણેની એનઆઈવી લેબ મોકલો.
શું છે નિપાહ વાયરસના લક્ષણ
ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં પણ અમુક લક્ષણો કોરોના વાયરસ જેવા જ હોય છે. નિપાહ વાયરસથી સંક્રમિત થવા પર ખાંસી, ગળામાં ખારાશ, ચક્કર આવવા, માંસપેશીઓમાં દુઃખાવો, થાક, માથામાં દુઃખાવો, ગરદનમાં અકડ અને તાવ આવે છે. જો કે એક રાહતની વાત એ છે કે કેરળ સિવાય હજુ સુધી કોઈ રાજ્યમાં નિપાહ વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી.
કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. જો કે હજુ સુધી માત્ર કેરળમાં જ નિપાહ વાયરસના કેસ મળ્યા છે પરંતુ અન્ય રાજ્યોએ પણ સાવચેતી તરીકે પગલાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આને લઈને કર્ણાટક સરકારે મંગળવારે પોતાના નાગરિકો માટે નિપાહ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કેરળની સીમા પાસેના જિલ્લાઓમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને વધુ સાવચેતી રાખવા માટે કહ્યુ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
