કર્ણાટકમાં કોંગ્રેસ 2013 કરતા પણ મોટી જીત નોંધાવશે: સર્વે
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ વર્ષ 2018 ઈલેક્શન દરમિયાન વર્ષ 2013 કરતા પણ વધારે સારું પ્રદર્શન કરશે.
આવનાર કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં પાછી આવવા માટે મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પોતાના જનાધાર ને મજબૂત કરવા માટે કમર કસી રહ્યું છે. આ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે જે કોંગ્રેસ માટે રાહત ચોક્કસ આપશે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ વર્ષ 2018 ઈલેક્શન દરમિયાન વર્ષ 2013 કરતા પણ વધારે સારું પ્રદર્શન કરશે. કોંગ્રેસ પાછલા ઈલેક્શન કરતા પણ વધારે સીટો પર કબ્જો કરશે.

154 સીટો પણ કરવામાં આવ્યો સર્વે
ચુનાવ પહેલા આ સર્વે 1 માર્ચ થી 25 માર્ચ વચ્ચેના આંકડાના આધાર પર કરવામાં આવ્યો છે. આ સર્વે કુલ 154 સીટો પર કરવામાં આવ્યો છે. જેમાં બતાવ્યું છે કે કોંગ્રેસ પાછલા ઈલેક્શન કરતા પણ વધારે સીટો પર કબ્જો કરશે. સર્વે અનુસાર કોંગ્રેસ પાછલા વર્ષ કરતા 9 ટકા વધુ વોટ મેળવશે અને કુલ 46 ટકા વોટ પર કબ્જો કરશે.

સી-ફોર ઘ્વારા કરાવવામાં આવ્યો સર્વે
આ સર્વે સી-ફોર ઘ્વારા કરાવવામાં આવ્યો છે જેના પર આરોપ લાગી રહ્યો છે કે આ સર્વે જાતે કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈલેક્શનમાં ભાજપને 31 ટકા વોટ મળશે. જયારે જેડીએસ ને 16 ટકા વોટ મળશે. આ સર્વેમાં કુલ 223587 લોકોએ ભાગ લીધો હતો. સી-ફોર ઘ્વારા વર્ષ 2013 દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસને 119-120 સીટો મળશે, જયારે કોંગ્રેસને રાજ્યમાં કુલ 122 સીટો મળી હતી.

126 સીટો મળશે
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસને 126 સીટો પર જીત મળશે જયારે ભાજપની સીટો પણ વધશે અને તેમને 70 સીટો પર જીત મળશે. માનવામાં આવી રહ્યું છે કે જેડીએસ આ વખતે 27 સીટો પર જીત નોંધાવશે. જયારે વર્ષ 2013 દરમિયાન તેમને 40 સીટો મળી હતી.

પીવાનું પાણી
પ્રદેશમાં પીવાના પાણીની સમસ્યા છે જેને સર્વેમાં લોકોએ સૌથી ઉપર રાખ્યું છે. 32 ટકા લોકો ઘ્વારા પીવાના પાણીની સમસ્યા સૌથી ઉપર રાખી છે. જયારે 26 ટકા લોકોએ આ સમસ્યા બીજા નંબરે રાખી છે. તેના સિવાય રસ્તા અને ગટર પણ સમસ્યા છે.

મુખ્યમંત્રી
45 ટકા લોકો ઘ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દારમૈયા નું સમર્થન કર્યું છે અને સીએમ માટે તેમને પહેલી પસંદ ગણાવ્યા છે. 26 ટકા લોકો ઘ્વારા ભાજપના મુખ્યમંત્રી પદ ઉમેદવાર યુદુરપ્પા ને પસંદ કર્યા છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયા ના કાર્યકાલ થી 21 ટકા લોકો ખુશ છે. જયારે 54 ટકા લોકો થોડા અંશે ખુશ છે અને 25 ટકા લોકો સિદ્દારમૈયા સરકાર થી ખુશ નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
