ધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ, 14નાં મોત
ધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ
બેંગ્લોરઃ કર્ણાટકના ધારવાડમાં ત્રણ દિવસ પહેલા એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાસાઈ થઈ ગઈ હતી જેમાં અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હજુ પણ કેટલાય લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 56 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. આ દુર્ઘટના 19 માર્ચે ઘટી હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ આજે શુક્રવારે સવારે કામાળમાંથી બચાવકર્મીઓએ એક વ્યક્તિને જીવતો બહાર કાઢી લીધો છે.

અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત
ઘટના સ્થળે હાજર ધાવાડ ડેપ્યૂટી કમિશનર દીપા ચોલને જણાવ્યું, આ ઘટનામાં કુલ 14 લોકોનાં મોત થયાં છે. કાલે અમે બે લોકોને બચાવ્યા. કાટમાળમાં ત્રણ અન્ય લોકો ફસાયેલા છે. તેમને અમે ઓક્સિઝન અે ઓઆરએસ આપ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી છે. આ સમયે પણ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવકાર્યમાં લાગી છે.
|
અન્ય કેટલાય લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા
આ ઘટના વિશે ધારવાડ પોલીસે જણાવ્યું કે દિવ્યા ઉનાકલ, દક્ષાયિણી અને અન્ય એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ઓછામાં ઓછા 12-15 શખ્સો કાટમાળ નીચે દબાયા હોવાની બચાવકર્મીઓને આશંકા છે કેમ કે કાટમાળ નીચેથી અવાજ આવતો સંભળાઈ રહ્યો છે. ધારવાડમાં બિલ્ડિંગ જમીનદોસ્ત થવાના મામલામાં ઈમારતના માલિકો, રવિ બસવરાજ સબરાડ, બસવરાજ ડી નિગાડી, ગંગપ્પા એસ શિનત્રી, મહાબલેશ્વર પુરદાગુડી અને એન્જિનિયર વિવેક પવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તમામ ચારેય માલિકોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે જ્યારે એન્જિનિયરને પણ પોલીસે દબોચી લીધો છે.
|
12 લોકો હજુ પણ લાપતા
બિલ્ડિંગ જમીનદોસ્ત થયાની થોડી વારમાં જ મુખ્યમંત્રી કુમારસ્વામીનું નિવેદન આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે ધારવાડમાં નિર્માણાધીન ઈમારત પડતાં આઘાતમાં છું, બચાવ કાર્ય માટે મેં મુખ્ય સચિવને બચાવ કાર્યની દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા છે. સાથે જ મેં સીએમને વિશેષ ઉડાણ દ્વારા અતિરિક્ત સંસાધન અને વિશેષજ્ઞ બતાવ દળ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં બિલ્ડિંગ પડવાનો આ પહેલો મામલો નથી. અગાઉ પણ બેંગ્લોરના ત્યાગરાજ નગર ક્ષેત્રમાં ઈમારત ધરાશાઈ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
