કોંગ્રેસ પક્ષમાંથી વધુ એક વિધાયક બહાર, 78 માંથી 75 બચ્યા
કર્ણાટકમાં છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી રાજરમત પછી આખરે યેદુરપ્પા મુખ્યમંત્રી બન્યા. હવે યેદુરપ્પા સામે 15 દિવસમાં બહુમત સાબિત કરવાનો પડકાર છે.
કર્ણાટકમાં છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી રાજરમત પછી આખરે યેદુરપ્પા મુખ્યમંત્રી બન્યા. હવે યેદુરપ્પા સામે 15 દિવસમાં બહુમત સાબિત કરવાનો પડકાર છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે યેદુરપ્પા ના બહુમત ટેંશન કરતા કોંગ્રેસનું ટેંશન વધુ ગયું છે. સરકાર બનાવવાનો મોકો હાથમાંથી નીકળી ગયા પછી હવે તેમના માટે પોતાના વિધાયક બચાવવું ખુબ જ મુશ્કિલ બની રહ્યું છે. કોંગ્રેસના બે વિધાયક પહેલાથી જ લાપતા છે. પરંતુ હવે તેમનો વધુ એક વિધાયક ઓછો થઇ ગયો છે તેવી માહિતી આવી રહી છે.

વિધાયક રાજશેખર પાટીલ
જાણકારી અનુસાર ગુરુવારે કોંગ્રેસ વિધાયક રાજશેખર પાટીલ ખરાબ તબિયત હોવાનું જણાવી બેંગ્લોરના ઇંગેલ્ટન રિસોર્ટ થી પોતાના ઘરે ચાલ્યા ગયા. હવે કોંગ્રેસ પાસે 78 માંથી 75 વિધાયક બચ્યા છે. જે બેંગ્લોરના ઇંગેલ્ટન રિસોર્ટમાં રોકાયા છે. તેમના બે વિધાયક આનંદ સિંહ અને પીજી પાટીલ પહેલાથી જ લાપતા થઇ ચુક્યા છે. જેમાંથી આનંદ સિંહ ભાજપમાં જોડાઈ ચુક્યા છે તેવી માહિતી પણ આવી રહી છે.

કર્ણાટકનો સત્તાનો ખેલ
કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. ભાજપ અહીં મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવાને કારણે રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા તેમને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું. યેદુરપ્પા ઘ્વારા ગુરુવારે મુખ્યમંત્રી પદ માટે શપથ પણ લઇ લેવામાં આવી. ભાજપ પાસે બહુમત નહીં હોવા છતાં પણ તેમને સરકાર બનાવવા માટે આપવામાં આવેલા આમંત્રણનો કોંગ્રેસ ઘ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાજપ પાસે બહુમત નથી
ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યુ કે, કર્ણાટકની રાજનીતિમાં જે પણ ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેની પાછળ મોદીનો હાથ છે. તેમણે આ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યુ કે ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યા નથી. સિદ્ધારમૈયાએ કહ્યુ કે, "અમે અસુરક્ષિત નથી. કોંગ્રેસ અને જેડીએસ પાસે સાબિત કરવા માટે જરૂરી સંખ્યા છે. ભાજપ પાસે નથી." તેમણે એ વાતનો પણ દાવો કર્યો કે બધા 118 ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત રહેશે.

ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે
આ દરમિયાન કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે, આપણે બધાએ દેશ હિતમાં સાથે આવવું પડશે. એટલું જ નહીં પરંતુ તેમને કહ્યું કે રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, ભાજપા પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત નથી.

કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ
શિવસેનાએ બીજેપી પર હુમલો કર્યો છે. શિવસેના સંસદ સંજય રાઉત ઘ્વારા બીજેપી પર કર્ણાટકમાં ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે બીજેપી સત્તા માટે ડર્ટી પોલિટિક્સ કરી રહી છે. તેમને કહ્યું કે બીજેપી પાસે માત્ર 104 સીટો છે. જયારે કોંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત છે. તેમ છતાં બીજેપી રાજ્યમાં ગંદી રાજનીતિ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
