મહારાષ્ટ્ર: કોંગ્રેસે શિવસેના-એનસીપી સામે મુકી નવી માંગ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી છે. ગુરૂવારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, જ્યારે ત્રણેય પક્ષોમાંના અમુક નેતાએ પણ શપથ લીધા હતા.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી છે. ગુરૂવારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, જ્યારે ત્રણેય પક્ષોમાંના અમુક નેતાએ પણ શપથ લીધા હતા. કરાર મુજબ ડેપ્યુટી સીએમનું પદ એનસીપી પાસે રહેશે જેના માટે હજી સુધી કોઈ નામ મંજૂર કરાયું નથી. પરંતુ તે દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ગઠબંધન સરકારના ત્રીજા પક્ષ કોંગ્રેસે હવે ડેપ્યુટી સીએમ પદ પર દાવો કર્યો છે. આ સિવાય કોંગ્રેસે એનસીપી-શિવસેના સમક્ષ બીજી માંગ મૂકી છે.

ડેપ્યુટી સીએમ પદ પર કોંગ્રેસનો દાવો
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારમાં તમામ સાથીઓને સંતોષ આપવો એ મોટો પડકાર બની શકે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, અનેક રાઉન્ડ મીટિંગ્સ છતાં નવી કેબિનેટમાં વિભાગોના વિભાજન અંગે કોઈ ચર્ચા થઈ નથી. કોંગ્રેસના એક નેતાના કહેવા પ્રમાણે, 'તમામ પક્ષોએ ગૃહ મંત્રાલય, નાણાં, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને સહકાર મંત્રાલય સમક્ષ દાવો કર્યો છે. આ કારણોસર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કોંગ્રેસે વધુ એક કેબિનેટની કરી માંગ: સુત્ર
કોંગ્રેસ નેતાને આશા બતાવી છેકે શરદ પવાર આ મામલે દખલ કરશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પાર્ટી ઇચ્છે છે કે તમામ મુદ્દાઓ સમયસર રીતે સમાધાન થાય જેથી નવી સરકારમાં કામ વહેલી તકે શરૂ થઈ શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે સ્પીકર પદ લેવાની ના પાડી દીધા બાદ કોંગ્રેસે ડેપ્યુટી સીએમ પદ પર દાવો કર્યો છે અને વધારાના કેબિનેટની પણ માંગ કરી છે. પૃથ્વીરાજ ચવ્હાણે પણ પુષ્ટિ કરી છે કે તેમણે પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટને અધ્યક્ષ ન બનવાની ઇચ્છા વિશે જાણ કરી છે.

અશોક ચવ્હાણને મંત્રીમંડળમાં સામેલ ન કરવા અંગે પણ સવાલ
ચવ્હાણના નજીકના સૂત્રોનુ કહેવું છે કે તેઓ માને છે કે પૂર્વ મુખ્યમંત્રીએ સ્પીકરનું પદ ન લેવું જોઈએ જે સીએમ પદની સમકક્ષ નથી. તેઓ આ ઓફર સ્વીકારશે નહીં. જ્યારે કોંગ્રેસના નેતાએ પણ અશોક ચવ્હાણને મંત્રીમંડળમાં સામેલ ન કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. નામ જાહેર ન કરવાની શરતે કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારૂં માનવું છે કે પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવવા જોઈએ. કોંગ્રેસના આ નેતાએ કહ્યું કે, પાર્ટીએ એનસીપી અને શિવસેનાને સ્પષ્ટ કરી દીધું છે કે સ્પીકર પદ પર પોતાનો દાવો છોડ્યા બાદ હવે તેઓને ડેપ્યુટી સીએમ પદ અને કેબિનેટમાં વધારાની કેબિનેટ આપવામાં આવે.

પૃથ્વીરાજ ચવ્હાણે સ્પિકરનું પદ લેવાની ના પાડી
જ્યારે મંત્રીમંડળના ફોર્મ અંગે વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે બે ડેપ્યુટી સીએમ હશે, એક કોંગ્રેસનો અને બીજો એનસીપીનો, જ્યારે સ્પીકરનું પદ કોંગ્રેસને આપવામાં આવશે. પરંતુ એનસીપીના કહેવાથી કોંગ્રેસે અધ્યક્ષ પદ પર પોતાનો દાવો છોડી દીધો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'બદલાયેલા સંજોગોમાં થોરાટને ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કરી શકાય છે અને ચવ્હાણને એઆઈસીસીમાં સમાવી શકાય છે અથવા મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે, જો કે તેમને કોઈ મહત્વનો પોર્ટફોલિયો આપવામાં આવે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
