JNUમાં મોડા પહોંચવાના આરોપોને દિલ્લી પોલિસે ફગાવી કહ્યુ ‘7.45 વાગે કરી હતી ફ્લેગ માર્ચ'
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી હુમલાખોરો દ્વારા છાત્રોની મારપીટ મામલે દિલ્લી પોલિસે પ્રેસ કૉફરન્સ કરીને કેમ્પસમાં મોડા પહોંચવાના આરોપોને ફગાવી દીધા.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી હુમલાખોરો દ્વારા છાત્રોની મારપીટ મામલે દિલ્લી પોલિસે પ્રેસ કૉફરન્સ કરીને કેમ્પસમાં મોડા પહોંચવાના આરોપોને ફગાવી દીધા. દિલ્લી પોલિસના પીઆરઓ એમએસ રંધાવાએ જણાવ્યુ કે તેમણે પોલિસ કંટ્રોલ રુમને કરેલા કૉલ પર અને કાયદો વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે પ્રોફેશનલ અંદાજમાં જવાબ આપ્યો. સાથે જ તેમણે કહ્યુ કે આંતરિક સુરક્ષા વિદ્યાલયને આધીન છે.

7.45 વાગે પહોંચીને કરી હતી ફ્લેગ માર્ચઃ દિલ્લી પોલિસ
દિલ્લી પોલિસે દાવો કર્યો કે જેએનયુ પ્રશાસને પોલિસ પાસે લગભગ 7.45 વાગે (હિંસા શરૂ થયાના લગભગ ચાર કલાક બાદ) હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો ત્યારબાદ પરિસરમાં એક ફ્લેગ માર્ચ કરવામાં આવી. દિલ્લી પોલિસના પીઆરઓ એમ એસ રંધાવાએ જણાવ્યુ કે કેસમાંતપાસમાં કોઈ પણ વિલંબથી બચવા માટે સંયુક્ત પોલિસ કમિશ્નરની આગેવાની એક ફેક્ટ ફાઈંડિંગ કમિટી બનાવવામાં આવી છે. કેસમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને સતત ફૂટેજ ભેગા કરવામાં આવી રહ્યા છે.

અમુક મહત્વપૂર્ણ પુરાવા મળ્યાઃદિલ્લી પોલિસ
દિલ્લી પોલિસે જણાવ્યુ કે તેમને અમુક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે અને તે કેસને જલ્દી ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યુ કે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને આપવામાં આવી છે. રંધાવાએ જણાવ્યુ કે સામાન્ય રીતે એડમિનિસ્ટ્રેશન બ્લોક પર પોલિસની તૈનાતી રહે છે જે હિંસા થઈ છે એ તેનાથી દૂર થઈ. દિલ્લી પોલિસના પીઆરઓએ જણાવ્યુ કે કુલ 34 લોકો આ હિંસામાં ઘાયલ થયા હતા. કોઈની હાલત ગંભીર નથી, બધાને એમ્સ ટ્રોમા સેન્ટરમાંથી છુટ્ટી પી દેવામાં આવી છે.

રવિવારે થયેલા હુમલામાં ઘણા છાત્ર થયા હતા ઘાયલ
તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે બુકાનીધારી બદમાશોએ જેએનયુ પરિસરમાં ઘૂસીને જોરદાર ઉત્પાત મચાવ્યો. તેમણે ઘણી છાત્રોને ખરાબ રીતે માર્યા. આ હુમલામાં છાત્રસંઘની અધ્યક્ષ આઈશી ઘોષ અને ઘણા શિક્ષક પણ ઘાયલ થઈ ગયા હતા. લેફ્ટ વિંગના છાત્રોએ એબીવીપી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે એબીવીપીનુ કહેવુ હતુ કે લેફ્ટના લોકોએ મારપીટ કરી. વળી, જેએનયુમાં થયેલા આ હોબાળા પર રાજકીય દળો તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેએનયુ કેસમાં વિપક્ષ સતત ભાજપ પર નિશાન સાધી રહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
