JNU વિરોધઃ આંધળો છે તો પ્રદર્શનમાં કેમ આવ્યો કહી મારતા રહ્યા, જુઓ Video
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના છાત્રો દ્વારા ફી વધારાના વિરોધમાં સોમવારે કાઢવામાં આવેલ સંસદ માર્ચનો મામલો ગરમાઈ રહ્યો છે. ઘાયલ છાત્ર શશિ ભૂષણ પાંડેયનુ નિવેદન પણ આવ્યુ છે.
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના છાત્રો દ્વારા ફી વધારાના વિરોધમાં સોમવારે કાઢવામાં આવેલ સંસદ માર્ચનો મામલો ગરમાઈ રહ્યો છે. આ માર્ચ દરમિયાન રોકવા પર છાત્રોની પોલિસ સાથે ઝડપ થઈ ગઈ હતી ત્યારબાદ દિલ્લી પોલિસે આ છાત્રો પર લાઠીચાર્જ કરી દીધો હતો. આ લાઠીચાર્જમાં ઘણા છાત્રો ઘાયલ થયા હતા જેમાં શશિ ભૂષણ પાંડેય નામનો એક નેત્રહીન છાત્ર પણ શામેલ છે. શશિ ભૂષણની પિટાઈ મામલે છાત્રોએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન ઘાયલ છાત્ર શશિ ભૂષણ પાંડેયનુ નિવેદન પણ આવ્યુ છે અને તેણે પોલિસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

નેત્રહીન છાત્રનુ આવ્યુ નિવેદન
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ શશિ ભૂષણ પાંડેયે દાવો કર્યો કે પોલિસવાળાએ તેને પૂછ્યુ હતુ કે જો તે આંધળો છે તો વિરોધ પ્રદર્શનમાં કેમ આવ્યો? નેશનલ પ્લેટફોર્મ ફૉર ધ રાઈટ્સ ઑફ ડિસેબલ (NPRD) અને જેએનયુના છાત્ર એકમે નેત્રહીન છાત્ર પર લાઠીચાર્જની ટીકા કરી છે. પાંડેયે કહ્યુ, ‘જ્યારે બધા છાત્રો આમતેમ ભાગી રહ્યા હતા, કોઈએ મને કહ્યુ કે સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી હતી. એ વખતે અમુક દોસ્ત મારી મદદ માટે મારી આસપાસ હાજર હતા.'
|
‘જણાવ્યા બાદ પણ પોલિસવાળા મને મારતા રહ્યા'
પાંડેયે કહ્યુ, ‘મારા પર લાઠીઓ વરસાવવામાં આવી, જ્યારે મે પોલિસકર્મીઓને જણાવ્યુ કે હું અંધ છુ, તો એક પોલિસ અધિકારીએ કહ્યુ, જો તુ આંધળો છે તો વિરોધ કરવા માટે કેમ આવી ગયો?' લાઠીચાર્જમાં ઘાયલ પાંડેયને એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો હતો. JNUSU દ્વારા બોલાવવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ નેત્રહીન છાત્રએ કહ્યુ, ‘મે મારા ચશ્મા કાઢીને તેમને બતાવ્યુ તો પણ પોલિસવાળા અટક્યા નહિ અને મને મારતા રહ્યા.'

સંસદમાં પણ ઉઠ્યો લાઠીચાર્જનો મુદ્દો
નેશનલ પ્લેટફોર્મ ફૉર ધ રાઈટ્સ ઑફ ડિસેબલે દિલ્લી પોલિસ દ્વારા છાત્રો અને શિક્ષકો પર કરાયેલ લાઠીચાર્જની નિંદા કરી. આ સંગઠને કહ્યુ કે નેત્રહીન છાત્રની પિટાઈ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જેએનયુના છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષે પોલિસવાળા પર આરોપ લગાવ્યો કે તેમણે એક પ્લાન હેઠળ છાત્ર સંઘના ચાર સભ્યોને અલગ કરી દીધા. આઈશીએ કહ્યુ કે પોલિસવાળાઓ સંસદ સુધી માર્ચ દરમિયાન લાઈટો બંધ કરીને છાત્રો પર લાઠીચાર્જ કર્યો હતો. જેએનયુના છાત્રો પર લાઠીચાર્જનો મામલો સંસદમાં પણ ઉઠ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
