જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યુ છે સેનાનુ ઑપરેશન, પુલવામામાં એક આતંકી ઠાર, અથડામણ ચાલુ
જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામામાં કાલે રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
પુલવામાઃ જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામામાં કાલે રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર તરફથી આજે જણાવવામાં આવ્યુ છે કે પુલવામાના રાજપુરા વિસ્તારમાં અથડામણ દરમિયાન સુરક્ષાબળોએ 1 આતંકવાદીને ઠાર માર્યો છે. પોલિસના જણાવ્યા મુજબ હજુ માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. જો કે, તેના વિશે એ જાણવા મળ્યુ છે કે તે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. કાશ્મીર ઝોનની પોલિસે એ પણ કહ્યુ કે હજુ ઑપરેશન ચાલુ છે.

રાજપુરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની અથડામણ
જમ્મુ કાશ્મીર પોલિસના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે જે 1 આતંકી ઠાર મરાયો છે તે અથડામણ પુલવામાના રાજપુરા વિસ્તારમાં થઈ. પોલિસે કહ્યુ કે તપાસ દરમિયાન ત્યાં છૂપાયેલા આતંકવાદીની હાજરી વિશે જાણવા મળ્યા અને તેને આત્મસમર્પણ કરવા માટે જરુરી મોકા આપવામાં આવ્યા. પરંતુ તે ફાયરિંગ કરવા લાગ્યો. ત્યારબાદ સુરક્ષાબળોએ પોતાની કાર્યવાહી કરી. કાશ્મીર ઝોન પોલિસે ટ્વિટર પર લખ્યુ, 'પુલવામા એનકાઉન્ટર અપડેટઃ 1 આતંકવાદી ઠાર મરાયો છે. ઑપરેશન હજુ પણ ચાલુ છે. આગળની માહિતી જલ્દી શેર કરવામાં આવશે.'

વિશેષ ઈનપુટ મળ્યા બાદ શરુ થયુ ઑપરેશન
માહિતી મુજબ આતંકી હુમલા બાદ પુલવામાના રાજપુરા વિસ્તારમાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ. સુરક્ષા બળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બડાગામમાં વિશેષ ઈનપુટ મળ્યા બાદ ત્યાં ઘરે બનાવ્યો અને સર્ચ અભિયાન શરુ કર્યુ. કાશ્મીર ઝોન પોલિસે કહ્યુ કે થોડી વાર સુધીની કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. ઑપરેશન હજુ પણ ચાલી રહ્યુ છે.

અડધી રાત પછી શરુ થઈ કાર્યવાહી
આ પહેલા રવિવારે પણ પુલવામામાં સુરક્ષાબળો સાથે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મારવામાં આવ્યો હતો. તે એક સર્ચ અભિયાન દરમિયાન માર્યો ગયો હતો જેને સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બડગામ વિસ્તારમાં શરુ કર્યુ હતુ. પોલિસે ઘટના વિશે ટ્વિટ કર્યુ કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે સુરક્ષાબળો સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. કહેવામાં આવ્યુ કે આ અથડામણ બુધવારે અડધી રાત બાદથી શરુ થઈ અને હજુ પણ ચાલુ છે. જમ્મુ કાશ્મીરના એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે રવિવારે પુલવામામાં જ સુરક્ષાબળો સાથે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર થઈ ગયો. ત્યારબાદ બુધવારે પણ પુલવામાના રાજપુરા વિસ્તારમાં એક અજ્ઞાત આતંકી ઠાર થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
