અચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ
એનકાઉન્ટર દરમિયાન આતંકવાદી મરવાનું નાટક કરીને સુરક્ષાબળો અને જમ્મુ કાશ્મીર પોલિસના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો.
શુક્રવારે જે સમયે વાઘા બોર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની પાકિસ્તાનથી મુક્તિની રાહમાં આખો દેશ બેસી રહ્યો હતો તે સમયે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથે સુરક્ષાબળોનું એનકાઉન્ટર ચાલી રહ્યુ હતુ. ગુરુવારે આખી રાત ચાલેલા એનકાઉન્ટર બાદ સુરક્ષાબળોએ શુક્રવારે બે આતંકીને ઠાર માર્યા. જો કે આતંકીઓ સાથે એનકાઉન્ટરમાં સીઆરપીએફના બે અને જમ્મુ કાશ્મીર પોલિસના બે જવાન પણ શહીદ થઈ ગયા. વાસ્તવમાં આ એનકાઉન્ટર દરમિયાન આતંકવાદી મરવાનું નાટક કરીને સુરક્ષાબળો અને જમ્મુ કાશ્મીર પોલિસના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો.

ફાયરિંગમાં શહીદ થયા 4 જવાન
શુક્રવારે એનકાઉન્ટર ખતમ થયા બાદ સુરક્ષાબળોને લાગ્યુ કે બંને આતંકી માર્યા ગયા છે. સુરક્ષાબળના જવાન એનકાઉન્ટર બાદ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો અચાનક લાશો વચ્ચેથી એક આતંકી ઉઠ્યો અને સુરક્ષાબળો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાબળોના જવાન કંઈ સમજી શકે ત્યાં સુધી તે આતંકીના ફાયરિંગમાં સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસના 12 જવાન ઘાયલ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ ફરીથી એનકાઉન્ટર શરૂ થયુ અને સુરક્ષાબળોએ એ આતંકીને ઠાર માર્યો. ઘાયલ જવાનોને ઈલાજ માટે તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સીઆરપીએફના બે અને જમ્મુ કાશ્મીર પોલિસના 2 જવાનોએ દમ તોડી દીધો હતો.

ગુરુવારે રાતે શરૂ થયુ ઑપરેશન
આ પહેલા ગુરુવારે સુરક્ષાબળોને જમ્મુ કાશ્મીરમાં લંગેટના ખાનુ બાબાગુડ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી. રાતે લગભગ 9 વાગે, ભારતીય સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ, 92 બટાલિયન, સીઆરપીએફ અને એલઓસીના જવાનોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. રિપોર્ટ્સ અનુસાર સેનાએ રાતના અંધારામાં આતંકવાદીઓને ભાગવાથી રોકવા માટે લાઈટની પણ વ્યવસ્થા કરી હતી. રાતે લગભગ એક વાગે આતંકીઓ સાથે સુરક્ષાબળોનું એનકાઉન્ટર શરૂ થયુ અને આખી રાત ચાલેલા એનકાઉન્ટર બાદ શુક્રવારે સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા. જો કે હજુ સુધી આ વિશે કોઈ સુરાગ નથી મળ્યા કે એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી કયા સંગઠનના હતા.

સીમા પર પાકિસ્તાનની અવળચંડાઈ
તમને જણાવી દઈએ કે ભારતીય સેનાઓ તરફથી જડબાતોડ જવાબ મળવા છતાં પાકિસ્તાન પોતાની હરકતો છોડતુ નથી. સીમા પર પાકિસ્તાની સેનાઓ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરી રહી છે. શુક્રવારે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા જ્યારે બે અન્ય ઘાયલ થઈ ગયા. જાણકારી મુજબ પાકિસ્તાની ગોળીબારમાં રુબાના કૌસર (24), તેમનો પુત્ર ફજાન (5) અને નવ મહિનાની પુત્રી શબનમનું મોત થઈ ગયુ છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર અને ભારે ગનથી સામાન્ય નાગરિકોના વિસ્તારોને નિશાન બનાવ્યા. ભારતીય સેના પણ પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ સતત આઠમો દિવસ છે જ્યારે પાકિસ્તાની સેનાએ રાજોરી અને પુંછ જિલ્લાઓમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
