પુલવામા એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર, લૉકડાઉનમાં પણ ચાલી રહી છે અથડામણ
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર થયુ છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર થયુ છે. અવંતિપોરામાં થયેલા આ એનકાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકી ઠાર મરાયા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આ એનકાઉન્ટર ત્યારે થયુ છે જ્યારે થોડા દિવસો અગાઉ સુરક્ષાબળોએ અંસાર ગજવાત ઉલ-હિંદના ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ ઉપરાંત તેમનો એક સાથી પણ માર્યો ગયો છે.

બુધવારે શોપિયામાં થયુ હતુ એનકાઉન્ટ
શનિવારે પુલવામાના અવંતિપોરામાં સુરક્ષાબળોને આતંકીઓ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ અહીં સર્ચ ઑપરેશન ચલાવ્યુ હતુ અને આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થયુ. આ એનકાઉન્ટર અવંતિપોરાના ગોરીપરામાં થયુ છે. આ જગ્યા શોપિયાં પાસેની છે અને બુધવારે શોપિયાાંમાં ચાર આતંકી ઠાર થયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આતંકી અંસાર ગજવાલ-એલ-હિંદ સંગઠનથી જોડાયેલા હતા. શોપિયાં એનકાઉન્ટરમાં સંગઠનના ટૉપ કમાન્ડર પણ ઠાર મરાયા હતા. જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના વાયરસને જોતા લૉકડાઉન ચાલુ છે અને આ દરમિયાન અહીં એક પછી એક એનકાઉન્ટર થઈ રહ્યુ છે. ઘાટીમાં અત્યાર સુધી 400 લોકો કોવિડ-19થી સંક્રમિત છે. 92 લોકો સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે અને 5 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમિત આતંકી મોકલવાનુ ષડયંત્ર
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ કે એ વિશેની ઠોસ ઈન્ટેલીજન્સ મળી છે કે પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરમાં અત્યારે કોરોના વાયરસથી સંક્રમિત આતંકીઓને મોકલવાની તૈયારીમાં છે. તેમણે કહ્યુ હતુ કે પાકનુ ષડયંત્ર કાશ્મીરના લોકોમાં જાનલેવા વાયરસથી સંક્રમિત કરવાનુ છે. તેમણે કહ્યુ કે હવે વધુ સાવચેતી વર્તવા અને સાવધ રહેવાની જરૂર છે. ડીજીપી દિલબાગે આ વાત એ સમયે કહી હતી જ્યારે ગાંદરબલના મણિગામમાં પોલિસ ટ્રેનિંગ સેન્ટરની અંદર ક્વૉરંટાઈન સેન્ટરની સમીક્ષા લઈ રહ્યા હતા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
