જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં બે પ્રવાસી મજૂરોની ગ્રેનેડથી હત્યા, હુમલાખોરોની ધરપકડ
જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોની હત્યા કરી દીધી છે.
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોની હત્યા કરી દીધી છે. આ બંને મજૂરો ઉત્તર પ્રદેશના કનૌજના રહેવાસી હતી. બંને મજૂરોની ઓળખ કનૌજ જિલ્લાા મુનીષ અહેમદ અને સાગર અલી તરીકે થઈ છે. બંને બિન સ્થાનિક મજૂરોની હરમન વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી છે. આ બંને મજૂરો પર એ વખતે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો જ્યારે એ ટિન શેડમાં સૂઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા શોપિયાંમાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને હવે બહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા મંગળવારે શોપિયાંની મુલાકાતે છે, તે પહેલા આતંકવાદીઓ આ ઘટનાને અંજામ આપ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે મંગળવારે વહેલી સવારે એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, 'આતંકવાદીઓએ શોપિયાંના હરમન વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો. જેમાં યુપી કનૌજના બે મજૂરો મનીષ કુમાર અને રામ સાગરના મોત થયા છે. ગ્રેનેડ હુમલામાં બંનેને પહેલા ઈજા થઈ હતી ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મૃત્યુ થયુ હતુ. અમે વિસ્તારને કૉર્ડન કરી લીધો છે.' પોલીસે અન્ય એક ટ્વિટમાં કહ્યુ કે ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ઘટના બાદ અમે વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યુ અને લશ્કર-એ-તૈયબાના હાઈબ્રીડ આતંકવાદી ઈમરાન બશીર ગનીની ધરપકડ કરી. આતંકીની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ તપાસ અને દરોડા ચાલુ છે. શોપિયાંમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે જ્યારે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે. 15 ઓક્ટોબરના રોજ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની ચૌધરી ગુંડમાં તેમના ઘરની નજીક ખૂબ જ નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પૂરણ કૃષ્ણ ભટ્ટ શોપિયાંમાં રહેતા હતા અને તેમણે ક્યારેય સ્થળાંતર કર્યુ ન હતુ.
Hybrid #terrorist of proscribed #terror outfit LeT Imran Bashir Ganie of Harmen #Shopian who lobbed grenade #arrested by Shopian police. Further #investigation and raids are going on: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/nP8xixR8GG
— Kashmir Zone Police (@KashmirPolice) October 17, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
