ત્રાલ એન્કાઉન્ટરમાં જૈશનો ટોચનો કમાન્ડર શામ સોફી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન યથાવત
અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
શ્રીનગર : અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકીની ઓળખ જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર આતંકવાદી શામ સોફી તરીકે થઈ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ઘણા વધુ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે.

આ પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અને સુરક્ષા દળોને તિલવાની મોહલ્લામાં કેટલાક આતંકવાદીઓના છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ વિસ્તારમાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સૈનિકોને જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું, ત્યારે માહિતી સાચી સાબિત થઈ હતી. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. જેમાં જૈશના ટોચના કમાન્ડરને ઠાર કર્યો હતો. આવા સમયે સુરક્ષા દળો પૂંછ રાજૌરી વિસ્તારમાં બગાઈના જંગલોમાં છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
Encounter has started at Tilwani Mohalla in Tral area of Awantipora. Police & security forces are on the job. Further details shall follow: J&K Police
— ANI (@ANI) October 13, 2021
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જેમાં એક અધિકારી અને ચાર જવાન શામેલ છે. આ એન્કાઉન્ટરમાં નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઈક મનદીપ સિંહ, કોન્સ્ટેબલ ગજન સિંહ, કોન્સ્ટેબલ સારજ સિંહ અને કોન્સ્ટેબલ વૈશાખ એચએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
શહીદોમાં પંજાબના કપૂરથલા જિલ્લાના માના તલવંડી ગામના રહેવાસી 39 વર્ષીય નાયબ સુબેદાર જસવિંદર સિંહ છે. જસવિંદર 12માં ધોરણ બાદ જ 2001માં સેનામાં જોડાયો હતો. જસવિંદર સિંહે વર્ષ 2006માં કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓને મારવામાં તેમની ભૂમિકા બદલ સેના મેડલ એનાયત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, એનઆઇએની આ કાર્યવાહી ઇસ્લામિક સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે સંકળાયેલા નવા કેસમાં કરવામાં આવી છે, જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે ટીઆરએફ સામેલ છે, જે એક આતંકવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ઘાટીમાં સ્થાનિક લોકો માર્યા ગયાની આતંકવાદી ઘટનાઓ પાછળ TRF નું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે આ સંગઠન લશ્કર-એ-તૈયબાનું છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 4 અથડામણ થઈ હતી. ઇમામસાહિબ વિસ્તારમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. પૂંછ જિલ્લામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા બાદ ગુસ્સાનું વાતાવરણ છે. સેનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
