ભારતમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યુ છે જૈશ-એ-મોહમ્મદ, જમ્મુ કાશ્મીર છે પહેલો ટાર્ગેટઃ રિપોર્ટ
પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(JeM) ભારતમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યુ છે.
નવી દિલ્લીઃ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(JeM) ભારતમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યુ છે. સુરક્ષા એજન્સીઓ માહિતી આપી છે કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના જૈશ-એ-મોહમ્મતના લગભગ 100 સભ્યોને જેલમાંથી મુક્ત કર્યા છે. જે પાછા આતંકી સંગઠનમાં શામેલ થઈ ગયા છે અને ભારતમાં આતંકી હુમલાની યોજના કરી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં. જૈશનો પહેલો ટાર્ગેટ જમ્મુ અને કાશ્મીર છે.

સુરક્ષા એજન્સીઓને જૈશના પ્રમુખ મસૂદ અઝહર વિશે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ એક સોશિયલ મીડિયા પોસ્ટ મળી છે જે અફઘાનિસ્તાનની જીત બાદ જમ્મુ કાશ્મીરમાં હુમલા માટે કેડરોને તૈયાર કરવા માટે પ્રેરિત કરે છે. સુરક્ષા એજન્સીના એક અધિકારીએ કહ્યુ કે, 'આતંકવાદી સંગઠન દ્વારા નિયંત્રિત સંસ્થાનોમાં, ગયા સપ્તાહે સભ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે જે જમ્મુ કાશ્મીરમાં હુમલાની યોજનાની આસપાસ ઘૂમે છે.'
સુરક્ષા એજન્સીએ ઈનપુટ આપ્યા છે કે જૈશ-એ-મોહમ્મદ અને તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓ પહેલા જ ભારત પર હુમલાને લઈને બેઠક કરી ચૂક્યા છે. જેઈએમને ભારતને ટાર્ગેટ કરવા અને પોતાની આતંકી ગતિવિધિઓને પૂરી કરવામાં બધા સમર્થનનો ભરોસો આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમથી પાકિસ્તાની બળોનુ પણ પ્રોત્સાહન વધશે. જે આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ કરે છે.
ભારતીય સુરક્ષાબળોએ આ વર્ષે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં ઘણા જૈશ-એ-મોહમ્મદના કેડરોનો ખાતમો કરી દીધો છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ કહ્યુ કે જૈશ-એ-મોહમ્મદના બે મુખ્ય પાકિસ્તાની કમાન્ડર, મોહમ્મદ ઈસ્માઈલ અને અબ્દુલ રાશિદ ગાઝીએ 31 જુલાઈ 2021ના રોજ પુલવામાના ત્રાલ ક્ષેત્રના હંગલમર્ગ જંગલમાં એક અથડામણમાં માર્યા ગયા હતા. આ બંને 14 ફેબ્રુઆરી, 2019ના પુલવામા આતંકી હુમલા પાછના માસ્ટર માઈન્ડ હતી. વળી, રાષ્ટ્રીય તપાસ એજન્સીની હિટલિસ્ટમાં પણ હતા.
રિપોર્ટ મુજબ મોહમ્મદ ઈસ્માઈલ અને અબ્દુલ રાશિદ ગાઝી ભારત પર કરવામાં આવેલ ઘણા હુમલામાં શામેલ હતા. બંનેએ મળીને ઘણા સ્થાનિક યુવાનોને કાશ્મીર ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કર્યા હતા. અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમથી ફરીથી આ સંગઠનનુ પ્રોત્સાહન વધ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
