નવા રૉ અને આઇબી ચીફ છે કાશ્મીર અને બલૂચિસ્તાન બાબતોના નિષ્ણાત
દેશના નવા રૉ અને આઇબી ચીફ કાશ્મીર અને બલૂચિસ્તાન બાબતોના નિષ્ણાત છે. આઇબી ચીફ રાજીવ જૈન અને રૉ ચીફ અનિલ કુમાર બનશે દેશના નવા આઇબી અને રૉ ચીફ...
કેન્દ્ર સરકારે શનિવારે દેશના નવા રૉ અને આઇબી ચીફના નામની જાહેરાત કરી હતી. અનિલ કુમાર ધસ્માના કે જે બલૂચિસ્તાનના નિષ્ણાત છે તેઓ 30 જાન્યુઆરીથી રૉ ચીફ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.

મહત્વની બાબતોના નિષ્ણાત છે અનિલ કુમાર
ધસ્માના 1981 બેચના મધ્યપ્રદેશના આઇપીએસ અધિકારી છે જેમને બલૂચિસ્તાન, આતંકવાદ અને ઇસ્લામિક બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે. તેમની પસંદગી એવા સમયે સામે આવી જ્યારે કેન્દ્ર સરકારે બલૂચિસ્તાન બાબતે એક અલગ વલણ અપનાવ્યુ છે. ધસ્માના હાલના રૉ ચીફ રજિન્દર ખન્નાની જગ્યા લેશે. ધસ્માના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બાબતોના નિષ્ણાત રુપે ઓળખાય છે. તેમણે સાર્ક અને યુરોપ ડેસ્ક પર પણ પોતાની સેવાઓ આપી છે.
રૉ અધિકારીનું અનિલ કુમાર વિશે મંતવ્ય
રૉ ના અધિકારીએ વનઇંડિયાને જણાવ્યુ કે ધસ્માનાની પસંદગી યોગ્ય સમયે થઇ છે. બલૂચિસ્તાન બાબતે તેમની વિશેષતાનો ઘણો લાભ મળશે. હાલના દિવસોમાં ભારત અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાન મામલે વિશેષ વલણ અપનાવી રહ્યુ છે. એવામાં ધસ્માનાની પસંદગી ઘણી મહત્વની છે.
રાજીવ જૈન નવા આઇબી ચીફ
કેન્દ્ર સરકારે આઇબીના નવા ચીફ તરીકે રાજીવ જૈનની પસંદગી કરી છે કે જેઓ ઝારખંડ કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓ પણ કાશ્મીર મુદ્દઓના નિષ્ણાત છે. હાલના સમયમાં તેઓ આઇબીમાં સ્પેશિયલ ડાયરેક્ટર છે અને તેઓ દિનેશ્વર શર્માની જ્ગ્યાએ નવા આઇબી ચીફ હશે. રાજીવ જૈન દિનેશ્વર શર્માની જગ્યાએ 1 જાન્યુઆરીએ પોતાનો કાર્યભાર સંભાળશે. આઇબીના એક અધિકારીનું કહેવુ છે કે જૈન કાશ્મીર બાબતોના મોટા નિષ્ણાત છે. તેમની જાણકારી હાલના સમયમાં ઘણી ઉપયોગી સાબિત થશે.
આઇબીના એક અધિકારીએ જણાવ્યુ કે જૈન આ પહેલા પણ દિલ્હી અને અમદાવાદમાં આઇબીના ચીફની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેમને રાષ્ટ્રપતિ તરફથી પોલિસ મેડલ પણ મળી ચૂક્યો છે. જૈન અને ધસ્માનાનો કાર્યકાળ બે વર્ષનો હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
