જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? આ નામ ચર્ચામાં?
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈS સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરાયેલા રાજીનામામાં તેમણે બંધારણના અનુચ્છેદ ૬૭ (એ) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડોક્ટરની સલાહનું પાલન કરતા હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપું છું.

ધનખડનું રાજીનામું સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાની સાથે જ આવ્યું છે. તેમના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ અને રાજ્યસભાનુ અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ ચૂંટણીની શક્યતા છે.
૭૪ વર્ષીય જગદીપ ધનખડે ૨૦૨૨ માં ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો હતો, પરંતુ તેમણે કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ પહેલા જ રાજીનામું આપી દીધું છે.
ધનખડના રાજીનામા સાથે, ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું છે, જે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરે છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીમાં ભારતીય જનતા પાર્ટી એક મોટો રાજકીય દાવ રમી શકે છે.
ભાજપના નેતૃત્વ હેઠળની NDA સરકાર પાસે ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે પૂરતો બહુમત છે. આ સ્થિતિમાં વે સૌની નજર એ વાત પર ટકેલી છે કે ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ પર કોનું નામ પ્રસ્તાવિત કરશે. ધનખડના રાજીનામા બાદ ઘણી અટકળો ચાલી રહી છે.
મીડિયામાં પાર્ટી સૂત્રોના હવાલાથી આવેલા સમાચારો અનુસાર, નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર જુદા જુદા રાજ્યોના રાજ્યપાલ, સંગઠનના અનુભવી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાના મતે, ભાજપ આ પદ માટે એવા વ્યક્તિની પસંદગી કરશે જે અનુભવી, લોકપ્રિય હોવા ઉપરાંત જેના નામ પર કોઈ વિવાદ ન હોય.
સૂત્રો અનુસાર, વર્ષ ૨૦૨૫ ના અંતમાં બિહારમાં ચૂંટણી યોજાવાની છે, તેથી જનતા દળ (યુનાઈટેડ) ના સાંસદ અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને પણ ઉપરાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
હરિવંશ નારાયણ સિંહ ૨૦૨૦ થી આ પદ પર છે અને તેમને NDA સરકારનો વિશ્વાસ પ્રાપ્ત માનવામાં આવે છે. આ ઉપરાંત, રાજનાથ સિંહ, તમિલસાઈ સુંદરરાજન, સુકાંત મજુમદારના નામ પણ આ પદ માટે ચર્ચાઈ રહ્યા છે, જ્યારે રાજકીય નિષ્ણાતો માને છે કે આ ખુરશી માટે કોઈ ચોંકાવનારું નામ પણ સામે આવી શકે છે કારણ કે ભાજપ આવી રાજનીતિમાં માહેર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
