વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના પૉઝિટીવ, મંદિર સીલ
વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. હવે વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ વૃંદાવનના ઈસ્કોન મંદિરને સીલ કરી દેવામાં આવ્યુ છે. લોકોની અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. માહિતી મુજબ સોમવારે આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચીને આવાસીય પરિસરમાં રહેતા 165 લોકોના સેમ્પલ લીધા હતા. લોકોમાં મોટાભાગના વિદેશી ભક્તો હતા.

મંદિર સીલ કરવામાં આવ્યુ
આમાંથી 14 લોકોનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. નગર નિગમ વૃંદાવન ક્ષેત્રના સ્વચ્છતા નિરીક્ષક સુભાષ સિંહે જણાવ્યુ કે બે દિવસ પહેલા કોરોના પૉઝિટીવ મળવાની સૂચના પર સંબંધિત આવાસીય પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યુ હતુ. સાથે જ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે જોડાયેલા બ્લૉકને સીલ કરી દેવામાં આવ્યુ. વળી, પ્રયાગરાજમાં કોરોનાન 236 નવા પૉઝિટીવ દર્દી મળ્યા. સાથે જ કોરોનાના કારણે વધુ ત્રણ સંક્રમિતોના જીવ જતા રહ્યા. તપાસ બાદ રિપોર્ટ નેગેટીવ આવવા પર 101 દર્દીઓને હોસ્પટલમાંથી રજા આપી દેવામાં આવી. જિલ્લામાં રોજ મોટી સંખ્યામાં દર્દી સામે આવી રહ્યા છે. સાથે જ સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4270
સપ્તાહમાં 2 દિવસની લૉકડાઉન અને સરકાર દ્વારા કરુણાથી બચાવના જણાવવામાં આવેલ રીતો બાદ પણ મોટી સંખ્યામાં નવા કેસના સામે આવવા જિલ્લામાં મોટી સંખ્યામાં થઈ રહેલ કોરોનાની તપાસ પણ મોટુ કારણ છે. જિલ્લામાં સંક્રમિત મળેલા દર્દીઓમાં આર્મીના એક રિટાયર અધિકારી સહિત પીએસીના 4 જવાન પણ સંક્રમિત મળ્યા છે. શહેરના સૌથી પૉશ વિસ્તાર સિવિલ લાઈન્સના પોલિસ સ્ટેશનના અડધાથી વધુ પોલિસકર્મી પણ પૉઝિટીવ છે. સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશન સાથે સોરાંવ તેમજ મઉઆઈમા પોલિસ સ્ટેશનના પોલિસકર્મી પણ શામેલ છે. અન્ય ઘણા લોકો અને તેમની ચપેટમાં આવ્યા છે. જિલ્લામાં નવા સંક્રમિત દર્દીઓના આવ્યા બાદથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4270 પહોંચી ગઈ છે. વળી, 1965 દર્દી રિકવર થવા પર ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે.

1720 કેસ જિલ્લામાં સક્રિય
કોરોનાથી મરનારની સંખ્યા પણ 78 સુધી પહોંચી ગઈ છે ત્યારબાદ અત્યારે 1720 કેસ જિલ્લામાં સક્રિય છે. સોમવારે 112 લોકોને હોમ આઈસોલેશન કમ્પલીટ કર્યુ છે. સાથે સોમવારે જિલ્લામાં કુલ 1681 નવા કોરોના શંકાસ્પદ લોકોના નમૂના લેવામાં આવ્યા. 1974 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ઉત્તર પ્રદેશ કોરોના સંક્રમિતોનો આંકડો 1 લાખ 26 હજાર 722 સુધી પહોંચી ગયો છે. 24 કલાકની અંદર રાજ્યમાં 4 હજાર 197 નવા દર્દી વધ્યા જ્યારે 51 સંક્રમિતોના જીવ ગયા છે. સૌથી વધુ 9 મોત કાનપુરમાં થયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
