નરેન્દ્ર મોદી સરદાર પટેલના RSS અંગેના વિચારોથી સહેમત છે? : મનીષ તિવારી
નવી દિલ્હી, 29 ઓક્ટોબર : કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભાજપ પર સરદાર પટેલના વારસાને પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે કોંગ્રેસે નરેન્દ્ર મોદીને એ પણ યાદ કરાવ્યું છે કે 'સરદાર પટેલે કહ્યું હતું કે એ આરએસએસનો સાંપ્રદાયિક ઉન્માદ હતો જેણે ગાંધીજીના પ્રાણ લીધા હતા'
કોંગ્રેસે સરદાર પટેલના મુદ્દે મોદી પર નિશાન એવા સમયે તાક્યું છે જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અમદાવાદમાં દેશના પ્રથમ ગૃહ મંત્રી અને સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સંગ્રહાલયનું ઉદઘાટન કરવા માટે નરેન્દ્ર મોદી સાથે મંચ શેર કરવાના છે.

આ અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ પત્રકારોને જણાવ્યું કે છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપ સરદાર પટેલના વારસાને હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઇતિહાસ એ વાસ્તવિકતાનો સાક્ષી છે કે જેમની પાસે ઇતિહાસ નથી હોતો, તે બીજાનો ઇતિહાસ તફડાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી જે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે, તેમને મારી સલાહ છે કે તેમણે અભ્યાસ કરવો જોઇએ કે વારસો વાસ્તવમાં શું છે? જેને તેઓ પોતાનો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તિવારીએ જણાવ્યું કે 9 સપ્ટેમ્બર, 1948ના રોજ દેશના તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલે આરએસએસના સંસ્થાપક એમ એસ ગોલવરકરને લખ્યું હતું કે સાંપ્રદાયિક ઉન્માદના અંતિમ પરિણામ સ્વરૂપ દેશે મહાત્મા ગાંધીની જીવનના બલિદાનને સહન કરવું પડ્યું છે. શું સ્વયંસેવક નરેન્દ્ર મોદી સરદાર પટેલના આ વિચારો સાથે સહમત છે? અથવા આરએસએસ અંગેના સરદારના વિચારોને સમર્થન આપે છે જેના વારસાની તેઓ ઇચ્છા ધરાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
