‘મોદી ફરીથી બને પ્રધાનમંત્રી, ઈકોનોમીને મળશે ગતિ': નારાયણ મૂર્તિ
આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના અનુશાસન અને જીએસટી સહિત મહત્વના નીતિ વિષયક નિર્ણયોની ખૂબ પ્રશંસા કરી છે.
આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના અનુશાસન અને જીએસટી સહિત મહત્વના નીતિ વિષયક નિર્ણયોની ખૂબ પ્રશંસા કરી છે. વળી, તેમણે પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું સમર્થન કર્યુ છે. ઈટી નાઉ સાથે વાત કરતા મૂર્તિએ કહ્યુ કે વર્તમાન સરકારની નિરંતરતા ભારત માટે સારી હશે. તેનાથી ઈકોનોમીને ગતિ મળશે. ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં પણ મોદી સરકાર સફળ રહી છે. આપણે આભારી હોવુ જોઈએ કે કમસે કમ પીએમ મોદીના કેલિબરનો એક રાષ્ટ્રીય નેતા છે જે ભારતમાં સુધાર કરવામાં રસ દાખવે છે.

ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કરી પીએમ મોદીની પ્રશંસા
ઈટી નાઉ સાથે વાત કરતા નારાયણ મૂર્તિને કહ્યુ કે ગયા 5 વર્ષના કાર્યકાળને જોઈએ તો મને લાગે છે કે દેશમાં એક એવો નેતા છે જેનુ ફોકસ અનુશાસન, સ્વચ્છતા અને આર્થિક પ્રગતિ પર કેન્દ્રિત છે કે જે એક સારી વાત છે. સરકારની નિરંતરતા દેશ માટે સારી વાત રહેશે. મૂર્તિએ મોદી સરકાર દરમિયાન ઈકોનોમી માટે કરવામાં આવેલા રિફોર્મ્સની પણ ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે જીએસટીથી દેશની ઈકોનોમીને ગતિ મળી છે. કેન્દ્રીય સ્તરે ભ્રષ્ટાચારમાં ઘટાડો લાવવા માટે પણ તેમણે મોદી સરકારની પ્રશંસા કરી. જો કે જ્યારે તેમને રાફેલ ડીલ અંગે સવાલ કરવામાં આવ્યા તો તેમણે આના પર ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો.
પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનું કર્યુ સમર્થન
ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી એક મજબૂત આર્થિક પ્રગતિવાળી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. જીએસટી કે ઈન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ લાગુ કરવાની રીત પર મૂર્તિએ કહ્યુ કે અમુક બાબતોમાં કેટલીક ખામીઓ જરૂર જણાઈ છે પરંતુ દરેક વસ્તુ માટે પ્રધાનમંત્રીને જવાબદાર ન ગણી શકાય. આ અમલદારશાહીનું કામ છે. આ પીએમ મોદીનું કામ નથી કે તે દરેક ગામમાં જાય અને તેને સાફ રાખે. આ સમસ્યા ભારતીય માનસિકતા સાથે છે. આપણે ઉદાસ અને અનુશાસનહીન છીએ. આપણે આર્થિક પરિવર્તન મેળવતા પહેલા સાંસ્કૃતિક પરિવર્તનની તત્કાળ આવશ્યકતા છે.
આરબીઆઈ અને સરકાર વચ્ચે વિવાદ પર શું બોલ્યા મૂર્તિ
કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલા મતભેદ પર નારાયણ મૂર્તિએ આશા કરી કે બંને પક્ષો અમુક સમજૂતીઓ સાથે આગળ વધશે. આપણે એ બધુ જ સુનિશ્ચિત કરવુ ખૂબ જરૂરી છે જેનાથી બધી સંસ્થાઓ મજબૂત બને. તેમણે કહ્યુ કે આરબીઆઈ વિ. સરકારની પ્રાથમિકતાઓમાં વિવાદ ઘણા દેશોમાં જોવા મળ્યા છે. આમાં કંઈ નવુ નથી. મને લાગે છે કે બંને પક્ષો કોઈ પ્રકારના સમાધાન માટે આગળ આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
