Indus Waters Treaty : શું છે સિંધુ જળ સંધિ? જાણો તેના પર રોક લાગવાથી પાકિસ્તાનને શું અસર થશેે?
Indus Waters Treaty : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ ફરી એક વખત બોર્ડર પારના બદઈરાદા ઉજાગર કર્યા છે.
આ હુમલાની યોજના પાકિસ્તાનમાં તૈયાર થઈ હતી અને હાફિઝ સઈદના નજીકના સાથીદાર સૈફુલ્લાહ કસૂરી દ્વારા પ્લાન કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ અને 17નાં ઘાયલ થયા છે. હવે ભારત સરકારે કડક પગલા ભરતા સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે.
જણાવી દઈએ કે, 1960માં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ અને પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ અંતર્ગત છ નદીઓનું પાણી બંને દેશો વચ્ચે વહેંચાયું હતું.
પશ્ચિમી નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેહલમ પર પાકિસ્તાનનો અધિકાર છે, જ્યારે પૂર્વી નદીઓ રાવી, બિયાસ અને સતલુજનો ઉપયોગ ભારત કરે છે. ભારતે અત્યારસુધીમાં આ સંધિનું સન્માન જાળવ્યુ છે. પાકિસ્તાન વારંવાર આતંકી પ્રવૃત્તિઓ માટે જવાબદાર રહી ચૂક્યું હોવા છત્તા ભારતે આ સંધિ તોડી નથી.
આ સંધિ રદ કરવા માટે બંને દેશોની સંમતિ જરૂરી છે, કારણ કે આ સંધિ એકતરફી રીતે તોડવી શક્ય નથી. જો કે, લોકોની માંગને પગલે ભારતને કડક પગલા ભરતા આ પાણી જેવા સંવેદનશીલ વિષય પર કડક વલણ અપનાવ્યુ છે.
વિશ્લેષકો માને છે કે ભારતે સિંધુ નદીનું પાણી રોક્યુ તો પાકિસ્તાનમાં પાણીની ગંભીર કટોકટી ઊભી થઈ શકે છે. આ ગંભીર મુદ્દો હવે માત્ર રાજકીય નહીં પણ રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલો છે.
જણાવી દઈએ કે, વિશ્વ બેંકની લાંબી મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીનો અમલ પહેલા 1 એપ્રિલ 1948ના રોજ ભારતે બે મોટી નહેરોનો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાની પંજાબની 17 લાખ એકર જમીન તરસી રહી ગઈ હતી.
આવ સંજોગોમાં જો ભારત આજે આ નદીઓનું પાણી અટકાવે તો પાકિસ્તાનમાં અરાજકતા સર્જાશે તે નક્કી છે. જો કે, પાકિસ્તાનને ભારતના આ નિર્ણય સામે વર્લ્ડ બેંકમાં અપીલ કરવાનો અધિકાર રહેશે.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે કાશ્મીરમાં ફરી એક વખત સ્થિતી બગડી છે. અહીં પ્રવાસીઓ આવતા જતા સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટી અસર થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
