દેશભરના 8 એરપોર્ટ પર IndiGoની 100થી વધુ ફ્લાઇટ્સ રદ, મુસાફરોને ભારે હાલાકી
ટેકનિકલ સમસ્યાઓ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે ગુરુવારે ઇન્ડિગો (IndiGo) ની 100થી વધુ ફ્લાઇટ્સ રદ, છેલ્લા બે દિવસમાં 200થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત, મુસાફરો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે ગુસ્સો.

ભારતીય એરલાઇન ઇન્ડિગો હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહી છે, જેના કારણે દેશભરના મુખ્ય એરપોર્ટ પરથી તેની ફ્લાઇટ્સ સતત રદ થઈ રહી છે. ગુરુવારે એક જ દિવસમાં 100થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુરુવારે દિલ્હી અને હૈદરાબાદ સહિત અનેક એરપોર્ટ પર લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં મુસાફરો કલાકો સુધી તેમની ફ્લાઇટ્સની રાહ જોતા અટવાયા હતા.
કયા એરપોર્ટ પર કેટલી ફ્લાઇટ્સ રદ?
છેલ્લા બે દિવસમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ થવા પાછળ ખરાબ હવામાન, સિસ્ટમમાં ખામીઓ અને નવા સ્ટાફિંગ નિયમોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ઇન્ડિગોના આઉટેજથી પ્રભાવિત મુખ્ય શહેરો અને રદ થયેલી ફ્લાઇટ્સની વિગતો આ મુજબ છે.
બેંગલુરુ: 42
દિલ્હી: 38
અમદાવાદ: 25
હૈદરાબાદ: 19
ઇન્દોર: 11
કોલકાતા: 10
સુરત: 8
ઇન્ડિગોએ આ અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે આગામી 48 કલાકમાં કામગીરી સંપૂર્ણપણે પૂર્વવત્ થઈ જશે.
ફ્લાઇટ રદ થવાના મુખ્ય કારણો
ફ્લાઇટ રદ થવા પાછળ સિસ્ટમ નિષ્ફળતા અને ક્રૂ મેમ્બર્સની અછત મુખ્ય કારણો હોવાનું કહેવાય છે. જોકે, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP)ના જણાવ્યા મુજબ, ઇન્ડિગોની આ સમસ્યાઓ તેની પોતાની ભૂતકાળની ખામીયુક્ત નીતિઓનું પરિણામ છે, જેમાં કંપનીએ વર્ષોથી જાણીજોઈને ખૂબ ઓછા પાઇલટ્સને રોજગારી આપી છે.
DGCAના નવા નિયમોની અસર
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તાજેતરમાં પાયલોટ્સના આરામ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- આરામનો સમય વધ્યો: હવે પાયલોટ્સને દર અઠવાડિયે 36 કલાકને બદલે 48 કલાકનો આરામ આપવો પડશે. આ વધારાના 12 કલાકના આરામને કારણે શિફ્ટ અને સ્ટાફની અછત વધી રહી છે.
- અન્ય નિયમો: નવા નિયમો અનુસાર, પાયલોટ્સના સ્વાસ્થ્ય અહેવાલો જાળવવા પડશે અને દર ત્રણ મહિને પાયલોટ્સે થાકની ફરિયાદ કરી છે કે નહીં તે પણ રિપોર્ટ કરવું પડશે.
DGCAના આ નવા નિયમોનું પાલન કરવા માટે જરૂરી સ્ટાફમાં નોંધપાત્ર ઘટાડો થવાથી એરલાઇન્સને મુશ્કેલી પડી રહી હોવાનું મનાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
