વિજય દિવસ: આજનો દિવસ કેવી રીતે ભૂલી શકાય!
નવી દિલ્હી, 16 ડિસેમ્બર(વિવેક શુક્લા): એક સમય હતો જ્યારે પાકિસ્તાન પર મળેલા વિજય એટલે કે 16 ડિસેમ્બરના રોજ દેશભરમાં પ્રભાતફેરીઓ નિકાળવામાં આવતી હતી, ઊજવણીનો માહોલ રહેતો હતો, પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે દેશ વિજય દિવસ નથી ઊજવી રહ્યો. ક્યાંય પણ કોઇ વિજય દિવસને લઇને ઉત્સાહ નથી. રાજધાનીના કોઇ પણ નામચીન અખબારમાં વિજય દિવસને લઇને કોઇ પરિશિષ્ટ અથવા સમાચાર નથી છપાયેલી. પહેલા ઘણા સ્તર પર રાજધાનીમાં આ અવસર પર કાર્યક્રમ થતા હતા. કુલ મળીને વિજય દિવસને લઇને આ પ્રકારની નીરસતા ભયભીત કરે છે.
વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 16 ડિસેમ્બરના રોજ ભારતે વિજય હાસલ કર્યો હતો અને તે દિવસથી જ આ દિવસને દર વર્ષે વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વર્ષ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેના પરાજિત થઇ અને 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં આત્મસમર્પણ કરવાની ફરજ પડી. આ યુદ્ધના 12 દિવસોની અંદર અનેક ભારતીય જવાનો શહીદ થયા અને હજારો ઘાયલ થયા.

રક્ષા મામલાના જાણકાર અરૂણ કુમારે જણાવ્યું કે લાગે છે કે દિલ્હીમાં નિર્ભયા રેપ કેસની બીજી વરસીના કારણે ઓછામાં ઓછા દિલ્હીવાળા તો આટલા મહત્વના દિવસને તો ભૂલી ગયા. એટલે કે તેઓ રણભૂમિના યોદ્ધાઓનું સ્મરણ કરવાનું જ ભૂલી ગયા.
નાના મોટા કાર્યક્રમ
જોકે વિજય દિવસના અવસરે કેટલાંક શહેરોમાં નાના મોટા સ્તરે કાર્યક્રમો થઇ રહ્યા છે. હિમાચલ પ્રદેશના શહેર ધર્મશાળામાં આજે વિજય દિવસ પર કાર્યક્રમનું આયોજન થશે. કાર્યક્રમમાં મેજર જનરલ રાજીવ તિવારી જીઓસી નૌવી કોર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાજ્ય શહીદ સ્મારક સમિતિના અધ્યક્ષ સેવાનિવૃત્ત કર્નલ જય ગણેશે જણાવ્યું કે આ કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
બીજી બાજું બાડમેરમાં શહીદોની યાદમાં શહેરના શહીદ સ્મારક પર વિજય દિવસ મનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્મી,બીએસએફ, એરફોર્સ, જિલ્લા પ્રશાસન, જનપ્રતિનિધિ શહીદ પરિવાર સહિત શહેરના પ્રબુદ્ધજન નાગરિક ભાગ લેશે. એટલો સંતોષ માની શકાય છે કે નાના શહેરોમાં તો લોકો વિજય દિવસનું મહત્વ નથી ભૂલ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
