વર્ષોથી માથામાં નાખીએ છીએ આ તેલ, હકીકતમાં છે ઝેર!
વર્ષોથી માથામાં નાખીએ છીએ આ તેલ પણ હકીકતમાં છે ઝેર, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રફેસરે કર્યો દાવો.
નવી દિલ્હીઃ નારિયેળના આયુર્વેદિક લાભને પગલે આપણે વર્ષોથી કોપરેલના તેલને પસંદ કરતા આવ્યા છીએ. વાળ અને ચહેરા માટે નારિયેળના તેલને અતિ ફાયદાકાર માનવામાં આવે છે, ઉપરાંત વિવિધ પકવાનોમાં પણ નારિયેળના તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારતના રાજ્યોમાં તો દરેક સમસ્યાનો તોળ નારિયેળના તેલને જ માનવામાં આવે છે. પોતાના ગુણોને લઈને પ્રચલિત આ નારિયેળના તેલને તાજેતરમાં જ હાવર્ડ યુનિવર્સિટિના પ્રોફેસરે ઝેર ગણાવ્યું છે. પ્રોફેસર કરીન મિશલ્સે આ તેલને પ્યોર ઝેર ગણાવ્યું. આ પણ વાંચો- કોકોનટ સુગર શું છે? નાળિયેર સુગરના 10 આરોગ્ય લાભો

નારિયેળના તેલમાં સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધુ હોય
પોતાના ગુણોથી સુપરફૂડનું સ્ટેટસ મેળવી ચૂકેલ નારિયેળના તેલને હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કરીન મિશેલ્સે ઝેર ગણાવ્યું. મિશેલ્સ મુજબ નારિયેળનું તેલ કોઈ ઝેરથી ઓછું નથી અને આ તેલ ખાવાથી હ્રદય સંબંધિત બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. નારિયેળના તેલમાં બાકી ચીજોના મુકાબલે સેચ્યૂરેટેડ એટલે કે સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધુ હોય છે. માખણમાં તેનું પ્રમાણ 63 ટકા હોય છે અને પોર્કમાં 39 ટકા હોય છે જ્યારે નારિયેળમાં સેચ્યૂરેટેડ ફેટ 80 ટકા હોય છે.

હ્રદય સંબંધિત બીમારી થઈ શકે
મિશેલ્સે કહ્યું કે, 'ડાયેટમાં સેચ્યૂરેટેડ ફેટ વધુ પ્રમાણમાં લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેમ કે આનાથી ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જે વધવાથી હ્રદય સંબંધિત બીમારીઓ થવાનો ખતરો પણ વધી જતો હોય છે. માટે એવું માનવામાં આવે છે કે નારિયેળનું તેલ હ્રદય માટે સારું નથી.' મિશેલ્સે નારિયેળના તેલને ઝેર ગણાવ્યું, ત્યાં હાવર્ડ સ્કૂલ ઑફ પબ્લિકે હેલ્થના ડૉક્ટર વૉલ્ટર સી વિલેટે કહ્યું કે નારિયેળ એટલું પણ ખરાબ નથી. વિલેથે કહ્યું કે નારિયેળ એચડીએલ કોલેસ્ટ્રોલને બૂસ્ટ આપે છે.

જાણો લોકોએ શું કહ્યું
વિલેટે કહ્યું કે નારિયેળનું તેલ એચડીએલને બૂસ્ટ જરૂર કરે છે, પરંતુ છતાં પણ આ સૌથી સ્વસ્થ વિકલ્પ છે. સોશિયલ મીડિયા પર પ્રોફેસર કરીન મિશેલ્સે નારિયેળના તેલને ઝેર ગણાવતાં સોશિયલ મીડિયા પર યૂઝર્સે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. જ્યાં કેટલાક લોકો આ માહિતીથી હેરાન છે કે નારિયેળનું તેલ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે, જ્યારે કેટલાક લોકોએ મિશેલ્સના તથ્યને માનવાનો ઈનકાર કરી દીધો. કેટલાક ભારતીયોએ મિશેલની વાત પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વર્ષોથી નારિયેળનું તેલ વાપરતા આવ્યા છે અને આજે પણ સ્વસ્થ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
