ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારત
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) 2022 માં પહેલી વાર મનુષ્યને અંતરિક્ષમાં મોકલશે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) 2022 માં પહેલી વાર મનુષ્યને અંતરિક્ષમાં મોકલશે. જ્યારે ઈસરોની ચંદ્રયાન 2 પરિયોજના આગામી વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. ગુરુવારે ડીડીયુ ગોરખપુર વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં ઈસરોના પ્રમુખ કૈલાશવાદિવુ સીવને કહ્યુ કે અમે મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાની સમય સીમા નક્કી કરી દીધી છે. 2021 ના અંતમાં કે પછી 2022 ની શરૂઆતમાં તે બની શકે છે. તેમણે કહ્યુ કે ચંદ્રયાન-2 કે જે આગામી વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચંદ્ર પર મોકલવામાં આવશે.

ચંદ્રયાન-2 ને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે કે તે આરામથી ચંદ્ર પર ઉતરી જાય અને અનુસંધાન માટે ઘણી સામગ્રી ભેગી કરી શકે. તેમણે કહ્યુ કે ઈસરો આગામી 6 મહિનામાં 3 થી 6 મિશનને અંજામ આપશે. જેમાં કમ્યુનિકેશન, નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન જેવા ઘણા મિશન શામેલ છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ ઈસરો અંતરિક્ષમાં ચાર સંચાર ઉપગ્રહોનો મોકલવા પર કામ કરી રહ્યુ છે. કે જે ગ્રામીણ અને અંતરિયાળ ક્ષેત્રોમાં 100 જીબીપીએસની ઉચ્ચ ડેટા કનેક્ટિવિટી પ્રદાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જેમાંથી એક સેટેલાઈટને આ વર્ષની શરૂઆતમાં મોકલી પણ દેવામાં આવ્યુ છે. જ્યારે બચેલા ત્રણ સેટેલાઈટને નવેમ્બર, ડિસેમ્બર અને આગલા વર્ષની શરૂઆતમાં મોકલવામાં આવશે.
તેમણે કહ્યુ કે દેશની 75 ટકાથી વધુ વસ્તી અંતરિયાળ વિસ્તારોમાં રહે છે એટલા માટે વિવિધ સેવાઓ પ્રદાન કરવા માટે અંતરિક્ષ પ્રોદ્યોગિકી માટે સલાહ આપવામાં આવે છે. ઈસરોના અધ્યક્ષે કહ્યુ કે જો કે ભારતીય વિશ્વવિદ્યાલયોમાંથી બહાર નીકળતા બધા સંભવિત એન્જિનિયરોની ભરતી માટે ભારતની મુખ્ય અંતરિક્ષ એજન્સી માટે આ સંભવ નહોતુ. તેમછતા તે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો પર કામ કરી રહ્યુ હતુ જેથી તે ઉષ્મા અને સંશોધન કેન્દ્રોના માધ્યમથી પોતાની ક્ષમતાને વધારી શકે. તેમણે કહ્યુ કે ઈસરો યુવા એન્જિનિયરોને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં છ ઉષ્મા કેન્દ્ર, અનુસંધાન કેન્દ્ર અને સંશોધન દ્વારા રાષ્ટ્રની સેવા કરવાનો અવસર પ્રદાન કરવા માટે તૈયાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
