ભારતે રદ કર્યો અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટર સોદો
નવી દિલ્હી, 2 જાન્યુઆરી: રક્ષા મંત્રાલયે બુધવારે દલાલીના આરોપોમાં ફસાવવાના લીધે અગસ્તા વેસ્ટલેંડની સાથે થયેલો વીઆઇપી હેલિકોપ્ટર સોદો રદ કરી દિધો છે. જો કે વેસ્ટલેંડે મંત્રાલયને આપી સ્પષ્ટતામાં કહ્યું હતું કે 3600 કરોડના સોદાને પ્રાપ્ત કરવા માટે તેને કોઇ ખોટી રીત અપનાવી નથી.
અગસ્તા વેસ્ટલેંડ કંપનીના બે ટોચના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા માટે કથિત રીતે કમીશન આપ્યું હોવાના સમાચાર આવ્યા બાદ લગભગ એક વર્ષ 2010માં થયેલો આ કરાર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગી આ કેસમાં એક આરોપી છે. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોનું માનીએ તો રક્ષા મંત્રી એકે એંટનીની આજે સવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત બાદ કરાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ કરાર વીવીઆઇપી માટે 12 હેલિકોપ્ટરોને પુરા પાડવા સાથે જોડાયેલા છે અને અગસ્તા વેસ્ટલેંડ તેમાંથી ત્રણ હેલિકોપ્ટર આપી ચૂકી છે.
રક્ષા મંત્રાલય સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે એંગ્લો-ઇટાલીયન કંપની વિરૂદ્ધ પંચાટમાં જવાનો નિર્ણય કર્યો છે. કમીશનની ચૂકવણીના સમાચાર આવ્યા બાદ ભારતીય વાયુસેનાને આપવામાં આવેલા 12 ડબલ્યૂ-101 વીવીઆઇપી હેલિકોપ્ટર પુરા પાડવાના કોન્ટ્રાક્ટ પર સરકારે ગત ફેબ્રુઆરીમાં પ્રતિબંધ લગાવી દિધો છે.

આ કેસમાં આરોપી કંપનીના બે ટોચના અધિકારીઓની ઇટલીમાંથી ધરપકડક કરવામાં આવી છે. જે સમયે કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો તે સમયે ભારતે 30 ટકા ચૂકવી દિધી હતી અને ત્રણ અન્ય હેલિકોપ્ટરો માટે આગળની ચૂકવણીની પ્રક્રિયા ચાલું છે.
રક્ષા મંત્રાલય ગત 10 મહિનામાં અગસ્તાવેસ્ટલેંડને બે કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે. કંપનીએ પોતાના જવાબમાં કોઇપણ ખોટા કામની મનાઇ કરી દિધી છે પરંતુ સરકાર તેમની દલીલ નકારી કાઢી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટલીમાં કથિત વચોટિયા પાસેથી જપ્ત કરવામાં આવ્યા દસ્તાવેજ પણ હાથ લાગ્યા અને આશા વ્યકત કરી છે કે તેના આધારે કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
થોડા મહિના પહેલાં રક્ષા મંત્રાલય દ્વારા કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કંપનીએ આરોપ લગાવ્યો હતો કે ભારત 'એકતરફી' વર્તે છે અને તેના વિરૂદ્ધ પંચાટની કાર્યવાહી શરૂ કરી દિધી છે. મંત્રાલયે તે સમયે કંપનીની સાથે કાયદાકીય લડાઇની મનાઇ કરી દિધી છે. ભારતના કેગે પણ આ કરારમાં ખામીઓ બતાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
