india-pakistan conflict : ભારત આગામી 36 કલાકમાં હુમલો કરી શકે છે, પાકિસ્તાનનો દાવો
india-pakistan conflict : પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને બુધવારે દાવો કર્યો છે કે તેને વિશ્વસનીય ગુપ્તચર માહિતી મળેલી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં તેના પર સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ દાવાને પગલે પાકિસ્તાને ભારતને ચેતવણી આપી છે કે જો આવું થાય તો તેનો ઠોસ અને નક્કર જવાબ મળશે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તારરે કહ્યું કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં ભારતે બિનઆધારભૂત અને બનાવટી આરોપોના આધારે આ પગલું ભરવાનું આયોજન કર્યું છે.
તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે કે ભારત પહેલગામ ઘટનામાં પાકિસ્તાનની સંડોવણીના બિનમૂલ્યવાન આરોપોની આડમાં સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાને દાવો કર્યો કે તેણે આતંકવાદથી ઘણી વખત પીડા ભોગવી છે અને તે હંમેશા હિંસાની તમામ ઘટનાઓની નિંદા કરે છે. એટલું જ નહીં પાકિસ્તાને કહ્યું કે ભારતે પહેલગામ હુમલામાં પાકિસ્તાનને દોષી ઠેરવવા ન્યાયાધીશ, જુરી અને ફાંસીદાતાની ભૂમિકા એકધારી રીતે ભજવી છે.
પહેલગામ હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા છે. જેમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને દેશ છોડવા માટે કહેવાઈ છે. સાથે જ 1960ની સિંધુ જળસંધિ પણ રદ કરી દેવાઈ છે.
27 એપ્રિલથી બધા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અટારી જમીન માર્ગ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ સચેત રહેવા અપીલ કરી છે. એ કહ્યું કે જો ભારતે કોઇપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની હિમ્મત કરી, તો તેને નક્કર અને પૂરતો જવાબ મળશે. તેમજ તેના પરિણામ માટે સંપૂર્ણ જવાબદારી ભારતની રહેશે.
અત્તાઉલ્લાહ તારરે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન એક જવાબદાર દેશ તરીકે ખુલ્લા દિલે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટે તટસ્થ વિશેષજ્ઞોની કમિશનની ઓફર આપી હતી.પરંતુ ભારતે શાંતિ અને યુક્તિના માર્ગને અવગણીને ટકરાવ અને અયોગ્ય નિર્ણયનો માર્ગ પસંદ કર્યો છે, જેના પરિણામે આખા ક્ષેત્ર અને વિશ્વમાં પણ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
