ભારતની નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી
ચેન્નાઇ, 1 જુલાઇ : ભારતનો પોતાનો અને પ્રથમ નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ - 1એ (IRNSS - 1A) સોમવારે મઘ્યરાત્રિની આસપાસ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે. આઇઆરએનએસએસ - 1એના લોન્ચિંગને ભારતના સમુદ્રી નૌવહન અને કિનારાની સીમા પર નજર રાખવા માટે અત્યાર સુધી રાખવી પડતી અન્ય દેશો પરની નિર્ભરતાને દૂર કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના અંતરિક્ષ અભિયાનની મહત્વની કડી પીએસએલવી - સી22 રોકેટ મારફતે તેને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી રાત્રે 11.41 વાગે લોન્ચ કરવામાં આવશે. આ અંગે ઇસરોના પ્રવક્તા દેવી પ્રસાદ કર્ણિકે રવિવારે જણાવ્યું કે આ લોન્ચિંગ માટે સાડા ચોસઠ કલાકનું કાઉન્ટડાઉન શનિવારે સવારે 7.11 કલાકે શરૂ કરવામાં આવ્યું હતું.

1425 કિલો વજનના આઇઆરએનએસએસ - 1એ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો પ્રથમ ઉપગ્રહ છે. આ સેટેલાઇટ 10 વર્ષ સુધી સેવા આપશે. તેની મદદથી ભારતના 1500 કિલોમીટરના દાયરામાં રિયલ ટાઇમ પોઝિશનિંગ અને ટાઇમિંગની ચોક્કસ માહિતી મળી શકશે. આ સેટેલાઇટમાં બે પ્રકારના પેલોડ રહેશે. જેને 20 મીનિટના અંતરે અંતરિક્ષમાં છોડવામાં આવશે. આ શ્રેણીના 7 ઉપગ્રહોને વર્ષ 2015 સુધીમાં લોન્ચ કરવાનું આયોજન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
