'આતંકીઓનો વિસ્તાર ખતરનાક', ભારતે UNને આતંકીઓને આર્થિક મદદમાં શામેલ દેશોને બહાર કાઢવા કર્યો અનુરોધ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકીઓની આર્થિક મદદમાં શામેલ દેશોને બહાર કાઢવાનો અનુરોધ કર્યો છે.
ન્યૂયૉર્કઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકીઓની આર્થિક મદદમાં શામેલ દેશોને બહાર કાઢવાનો અનુરોધ કર્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં એ વાત પર જોર આપ્યુ છે કે આતંકવાદી સમૂહોનો નિરંતર વિસ્તાર બધા માટે પડકારરૂપ છે. ભારતે કહ્યુ છે કે જે આતંકવાદીઓને જે જાણીજોઈને નાણાકીય મદદ તેમજ સુરક્ષિત આસરો આપે છે તેવા દેશોની જવાબદેહી નક્કી કરવી જોઈએ અને આ આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી તેમને બહાર કાઢી દેવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રાજેશ પરિહારે કહ્યુ, 'ભારત નાણાકીય મદદ આપીને આતંકવાદના આર્થિક મદદ(સીએફટી) ક્ષમતાઓની કમીવાળા સભ્ય દેશોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોનુ સમર્થન અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.'

નાણાકીય મદદના જોખમ અને પ્રવૃત્તિઓ અને સુરક્ષા પરિષદ સંકલ્પ 2462ના કાર્યાન્વય પર UNSCની વિશેષ સંયુક્ત બેઠકમાં બોલતા રાજેશ પરિહારે કહ્યુ, 'આતંકવાદી સમૂહોના નિરંતર વિસ્તાર આપણા સહુના માટે ખતરનાક છે. વાસ્તવિકતા એ છે કે સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2462ના નાણાકીય પોષણનો મુકાબલો કરવા છતાં આતંવાદ(સીએફટી), સભ્ય રાજ્યો દ્વારા આનુ કાર્યાન્વય રાજકીય ઈચ્છાશક્તિની કમી સહિત ઘણા કારણોથી પડકારરૂપ બનેલુ છે.'
રાજેશ પરિહારે એ વાત પર પણ જોર આપ્યુ કે નવી નાણાકીય અને ચૂકવણી પ્રોદ્યોગિકીઓના લેટેસ્ટ વલણોએ આતંકવાદી સમૂહોને ધન એકઠુ કરવા અને સ્થાનાંતરિક કરવા માટે તેમનુ શોષણ કરવામાં સક્ષમ બનાવ્યા છે. તેમણે કહ્યુ, 'બ્લૉકચેન ટેકનોલૉજી, વર્ચ્યુઅલ/ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ ક્રાઉડસોર્સિંગ, પ્રીપેડ ફોન કાર્ડ વગેરેના દુરુપયોગે સીએફટીના પ્રયાસો માટે નવુ જોખમ પેદા કર્યુ છે. નકલી ચેરિટી અને એનપીઓના પ્રસારે કોરોના મહામારી દરમિયાનના આ જોખમને વધારી દીધુ છે.' તેમણે કહ્યુ કે ભારતે પોતાના નાણાકીય ક્ષેત્રોને એફએટીએફ સહિત આંતરરાષ્ટ્રીય માનકો પર લાવવાના ઉપાયો કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
