195 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા
અમદાવાદમાં શહેરના એક વિશેષ શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં પડોશી દેશોમાંથી આવેલા કુલ ૧૯૫ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ ૧૯૫ પ્રમાણપત્રોમાંથી ૧૨૨ નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ આપવામાં આવ્યા હતા, જ્યારે ૭૩ અરજીઓ પર સીધા કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી કરીને મંજૂરી આપવામાં આવી હતી.
લાભાર્થીઓને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે એકસાથે ૧૯૫ લોકોને નાગરિકતા મળવી એ અતિ આનંદનો ક્ષણ છે; આવું દ્રશ્ય અન્ય રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે છે. વર્ષોની હાડમારી પછી શરણાર્થી તરીકે ભારત આવેલા આ લોકો હવે રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ફાળો આપશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના શરણાર્થીઓની સલામતી, અધિકારો અને ગરિમા સુનિશ્ચિત કરવામાં CAA ખૂબ જ મહત્વનો છે.
સંઘવીએ આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો CAA માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રના ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો કાર્યક્ષમ રીતે ઇશ્યૂ કરવાના સતત પ્રયાસો અને લાભાર્થીઓને મદદ કરનાર સામાજિક આગેવાનો તેમજ સંસ્થાઓની પણ પ્રશંસા કરી હતી.












Click it and Unblock the Notifications
