કોરોનાનો કહેર યથાવત, દેશણાં 24 કલાકમાં 540 નવા કેસ નોંધાયા
કોરોનાનો કહેર યથાવત, દેશણાં 24 કલાકમાં 540 નવા કેસ નોંધાયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં ગત 24 કલામાં કોરોના વાયરસના 540 નવા મામલા સામે આવ્યા છે અને 17 લોકોના મોત થયાં છે. મંત્રાલય મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 5743 થઈ ગઈ છે. જેમાં 5095 સક્રિય મામલા છે, 473 લોકો ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 166 લોકોના મોત થયાં છે.

કોરોના વાયરસના સૌથી વધુ મામલા
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્હી અને તેલંગાણાથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1135 મામલા નોંધાયા છે, જેમાંથી 72 લોકોના મોત થયાં છે. કેરળમાં 345 સંક્રમિત દર્દી છે અને 2 લોકોના મોત થયાં છે. જ્યારે તમિલનાડુમાં કોરોના વાયરસના 738 મામલા છે અને 8નાં મોત થયાં છે. આ ઉપરાંત તેલંગાણાથી અત્યાર સુધીમાં 427 મામલા સામે આવ્યા છે જ્યારે 7 લોકોના મોત થયાં છે.

ક્યાં કેટલા મામલા
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમિત મામલાની સંખ્યા 669 પર પહોંચી ગઈ છે. અહીં બુધવારે 93 નવા મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 9ના મોત થયાં છે. રાજસ્થાનમાં 40 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં પૉઝિટિવ મામલાની કુલ સંખ્યા 383 થઈ ગઈ છે. પુણેમાં વધુ બે સંક્રમિત લોકોના મોત થયાં છે. કોરોનાથી મરનારની સંખ્યા અહીં વધીને 18 થઈ ગઈ છે, જેમાંથી 10ના મોત બુધવારે થયાં.

દેશમાં 300થી વધુ કેસવાળાં રાજ્યો
રાજસ્થાનમાં 381, ઉત્તર પ્રદેશમાં 361 અને કર્ણાટકમાં 181 મામલા નોંધાયા છે. ચંદીગઢમાં કોરોના વાયરસથ સંક્રમિત 18 લોકોનો પતો લાગ્યો છે, જ્યારે 158 મામલાની પુષ્ટિ જમ્મુ-કાશ્મીર અને 14ની લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમ અને મણિપુરથી એક-એક મામલાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે આસામમાં 8 મામલાની પુષ્ટિ થઈ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
