IB, RAW પુરતા છે; NCTCની જરૂર નથી : પૂર્વ RAW વડા

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ વિશેષ સચિવ અંબર સેને શનિવારે પણજીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "જો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) અને રૉમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તો આ બે સંસ્થાઓ આતંકવાદ સામેની લડાઇને આસાનીથી લડી શકે એવી ક્ષમતા ધરાવે છે."
તેમણે જણાવ્યું કે "જ્યારે તમારી પાસે 40-50 વર્ષ જુની સંસ્થાઓ છે તો શા માટે નવી એજન્સી શરૂ કરવી જોઇએ?" નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પૂર્વ સ્ટેટેજીક ઇન્ટેલિજન્સ એડવાઇઝર રહી ચૂકેલા અંબર સેન કેન્દ્ર સરકારને સુરક્ષા મુદ્દે સલાહ આપતા રહે છે. તેમણે જણાવ્યું કે "વર્તમાન સમયમાં આઇબીમાં અંદાજે 20,000 લોકોની ભરતી કરવાની જરૂર છે. જ્યાપે રૉમાં 3000 પદો ખાલી છે. જો આ બંને એજન્સીઓમાં પૂરતા લોકોની ભરતી કરવામાં આવે તો તે ધારણા કરતા વધારે સારું કામ કરી શકે એમ છે."
તેમણે જણાવ્યું કે કોઇ પણ એજન્સી માટે નવી ભરતી કરવી એ ખૂબજ લાંબી અને ખણો સમય લઇ લેતી પ્રક્રિયા છે. આ કારણ એનસીટીસી જેવી નવી એજન્સી સ્થાપીને તેના માટે લોકોની ભરતી કરવાને બદલે આઇબી અને રૉની ખાલી જગ્યાઓ ભરવી જોઇએ અને તેને આતંકવાદને રોકવા માટે જરૂરી સત્તાઓ અને સ્વતંત્રતા આપવી જોઇએ.
કેન્દ્ર સરકારે 26/11ના મુંબઇ હુમલા બાદ એનસીટીસીની રતના કરવાનો નિર્ણય લીધો હતો. આ એક એવી સંસ્થા હશે જે તમામ પ્રકારના આતંકવાદને રોકવામાં સહાયક બનશે. આ યોજના પ્રથમ દિવસથી જ વિવાદમાં રહી છે કારણ કે કોંગ્રેસની સરકાર ના હોય તેવા રાજ્યોએ રજૂઆત કરી હતી કે આવી એજન્સી રાજ્ય સરકારના મુદ્દાઓમાં દરમિયાનગીરી કરતી ના હોવી જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
