આર્ટિકલ 370 ખતમ કરવા બદલ હું મોદી અને અમિત શાહની પૂજા કરું છું
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે હું પીએમ મો
ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે હું પીએમ મોદી અને અમિત શાહની પૂજા કરવા લાગ્યો છું. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતો અનુચ્છેદ 370ને હટાવી દેશના પહેલા પીએમ જવાહરલાલ નેહરૂની ઐતિહાસિક ભૂલ સુધારી છે.

અનુચ્છેદ 370 હટાવી નેહરુની ઐતિહાસિક ભૂલ સુધારી
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અગાઉ પોતાના એક નિવેદનમાં પીએમ જવાહરલાલ નેહરૂને અપરાધી ગણાવ્યા હતા. જો કે સોમવારે પોતાના એ નિવેદન પર શિવરાજ સિંહ ચૌહાણે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું 'જે કહ્યું હતું તે તથ્યો પર આધારિત હતું. જમ્મુ-કાશ્મીર પર પહોલા પીએમ જવાહરલાલ નેહરુ તરફથી જે ભૂલ કરવામાં આવી હતી તેને પીએણ મોદીએ સુધારી છે.'

શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પહેલા હું પીએમ મોદ અને અમિત શાહને મારા નેતા માનતો હતો. તેમને શ્રદ્ધાની દ્રષ્ટિએ જોતો હતો, પરંતુ આ પગલા બાદ હું તેમની પૂજા કરું છું. જ્યારે સોનિયા ગાંધીને કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ ચૂંટવા પર ચૌહાણે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ફરીથી સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવ્યા, હવે કોંગ્રેસ ક્યાં જશે. આ મામલે રાહુલ ગાંધીની સોચના વખાણ કરું છું કે તેમણે બિન ગાંધી લાઓ, અધ્યક્ષ પદ સ્વીકાર ન કર્યું.

દિગ્વિજયનો પલટવાર
બીજી તરફ જવાહરલાલ નેહરુને લઈ શિવરાજ સિંહ ચૌહાણની ટિપ્પણી પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કર્યો. દિગ્વિજય સિંહે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ પંડિત નહેરૂના પગની ધૂળ પણ નથી, તેમને શરમ આવવી જોઈએ. જ્યારે દિગ્વિજયના નિવેદન પર પણ શિવરાજ સિંહ ચૌહાણે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે હું કોઈ પરિવારનો ગુલામ નથી, માત્ર ભારત માતાના ચરણોની ધૂળ છું. જેની સેવા કરી હું મારા જીવનને સફળ, સાર્થક અને ધન્ય માનું છું. આપણો દેશ સ્વાભિમાન સાથે આગળ વધે એજ અમારો સંકલ્પ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
