નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...
નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...
નવી દિલ્હીઃ ડુંગળીની વધતી કિંમતોને લઈ સંસદમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાય ભાગોમાં ડુંગળીની કિંમતો 120થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિન ચોબેએ ડુંગળીની વધતી કિંમતોને લઈ વાહિયાત નિવેદન આપ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચોબેએ કહ્યું કે તેમણે ડુંગળી ક્યારેય નથી ચાખી, માટે ડુંગળીની કિંમત શું છે તેમને કેવી રીતે ખબર હશે?

સંસદમાં ડુંગળીના ભાવ સાથે જોડાયેલ સવાલ પર કેન્દ્રીય મંત્રી અને બિહારથી ભાજપી સાંસદ અશ્વિની ચોબેએ કહ્યું કે, 'હું શાકાહારી માણસ છું અને મેં ડુંગળી ક્યારેય નથી ચાખી, તો તેના ભાવ કેટલા હશે મને શું ખબર હોય?' અશ્વિની ચોબેએ નિર્મલા સીતારમણના નિવેદનનો બચાવ પણ કર્યો. તેમણે કહ્યું કે સીતારમણ જીએ ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. અગાઉ બુધવારે લોકસભામાં નિર્મલા સીતારમણના નિવેદન પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
#WATCH "I am a vegetarian. I have never tasted an onion. So, how will a person like me know about the situation (market prices) of onions," says Union Minister Ashwini Choubey pic.twitter.com/cubekfUrYW
— ANI (@ANI) December 5, 2019
જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 'હું ડુંગળી-લસણ વધુ નથી ખાટી, એટલે ચિંતા ના કરો. હું એવા પરિવારથી આવું છં જેને ડુંગળીની કંઈ ચિંતા નથી.' નાણામંત્રીના આ નિવેદન બાદ સંસદમાં મોટાભાગના સાંસદો હંસવા લાગ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે ડુંગળીના ભંડારણ સાથે કેટલાક માળખાગત મુદ્દા જોડાયેલા છે અને સરકાર તેનો નિપટારો કરવા માટે પગલાં ભરી રહી છે. તેમણે કહ્યું કે વાવેતરમાં કમી આવી છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે પરંતુ સરકાર ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે પગલાં ઉઠાવી રહી છે.
લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે દેશમાં ડુંગળીની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરકારને ઉકેલ આપ્યો કે તેઓ કાળાબજારીઓ પર લગામ લગાવવા માટે રાજ્યને પરામર્શ ઈસ્યૂ કરે. અગાઉ કોંગ્રેસે સંસદ પરિસરમાં ડુંગળીની કિંમતોને લઈ પ્રદર્શન કર્યું. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
