માનવ બન્યો દાનવ ! 150 કુતરાને જીવતા દફનાવ્યા
માનવતાને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં 150 વાંદરાઓને માર્યા બાદ હવે ફરી એક વખત ક્રૂરતાની હદ વટાવી છે. કેટલાક માનવતાના દુશ્મનોએ કથિત રીતે 150 કૂતરાઓને શિવમોગામાં જીવતા દફનાવ્યા છે.
બેંગલુરુ : કર્ણાટકમાંથી માનવતાને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં 150 વાંદરાઓને માર્યા બાદ હવે ફરી એક વખત ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવી છે. કેટલાક માનવતાના દુશ્મનોએ કથિત રીતે 150 રખડતા કૂતરાઓને શિવમોગામાં જીવતા દફનાવ્યા હતા. પોલીસ સૂત્રોએ બુધવારના રોજ આ ઘટના વિશે માહિતી આપી હતી. આ મામલે સ્થાનિક પોલીસે ગ્રામ પંચાયત અધિકારી સામે ગુનો નોંધ્યો છે.


કર્ણાટકમાં ક્રૂરતાની તમામ હદો પાર
માનવતાને અંદરથી હચમચાવી દેનારી આ સમગ્ર ઘટના ભદ્રાવતી નગર પાસે કામદાલાલુ-હોસુર ગ્રામ પંચાયતની હદમાં રંગનાથપુરામાં બની હતી. આ વિસ્તારકર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 270 કિમી દૂર છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. મળતી માહિતી મુજબઅસામાજિક તત્વોએ કથિત રીતે કૂતરાઓને તમ્માડીહલ્લી જંગલ વિસ્તારમાં દફનાવ્યા હતા.

ઘટનાનું કારણ હજૂ અકબંધ
કૂતરાઓના સતત ભસવાના અવાજ સાંભળીને સ્થાનિક લોકોને શંકા ગઈ અને પછી અચાનક અવાજ આવવાનું બંધ થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ પશુ અધિકારકાર્યકર્તાઓને પણ જાણ કરી હતી, પરંતુ કાર્યકરોએ સ્થળની મુલાકાત લીધા બાદ જ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ભદ્રાવતી ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આ મામલેતપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ઘટના પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

પૈસા બચાવવા માટે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય?
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોન્ટ્રાક્ટરે કે જેણે ન્યુટરિંગનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તેને જણાવ્યું હતું કે, ન્યુટરિંગ એ એક સર્જરી છે, જે કૂતરાઓને પ્રજનન માટેઅસમર્થ બનાવે છે, પરંતુ પૈસા બચાવવા માટે આ પ્રકારનો જઘન્ય અપરાધ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પંચાયતના અધિકારીઓએ આ વખતેકૂતરા પકડનારાઓને મૌખિક સૂચનાઓ આપી હતી. આ અગાઉ કૂતરાઓને ઉપાડીને દૂરસ્થ વિસ્તારોમાં છોડવામાં આવતા હતા. આ વખતે પોલીસને શંકા છે કે, તેમનેકમ્બાડાલાલુ-હોસુર ગ્રામ પંચાયતની હદમાં કૂતરાઓને જીવતા દફનાવી દીધા હતા.

વાંદરાઓના કેસમાં કુલ 7 લોકોની ધરપકડ
આ પહેલા ઓગસ્ટમાં કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં 38 વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ વાંદરાઓને બોરીઓમાં ભરીને જંગલ વિસ્તારમાંલાવવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન ગૂંગળામણને કારણે તેમાના કેટલાક વાંદરાઓ મૃત્યુ પામ્યા હતા. કર્ણાટક હાઇકોર્ટે ઘટનાની તાત્કાલિક નોંધ લીધી અને રાજ્યસરકારને દોષિતો સામે પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
