Honeypreet કરશે સરેન્ડર? કહ્યું રામ રહીમ સાથે હતો પવિત્ર સંબંધ
હનીપ્રીત આપ્યો એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ. પોતાની જાતને નિર્દોષ જણાવતા હનીપ્રીતે કહ્યું તેની અને રામ રહીમ વચ્ચે પિતા -પુત્રીના પવિત્ર સંબંધ હતા. સાથે જ આ ઇન્ટરવ્યૂમાં હનીપ્રીત વિશ્વાસ ગુપ્તા અંગે બોલી.
બે સાધ્વીઓના બળાત્કારના કેસમાં જેલની હવા ખાઇ રહેલા ગુરમીત રામ રહીમની લાડકી દિકરી હનીપ્રીતે મીડિયાની સામે આવી છે. એક ટીવી ચેનલ આજ તકમાં તેણે ઇન્ટરવ્યૂ આપી જણાવ્યું છે કે રામ રહીમ નિર્દોષ છે. અને સાથે જ તેણે કહ્યું કે તેના અને તેના પિતા એટલે કે રામ રહીમ વચ્ચે પિતા-પુત્રીના પવિત્ર સંબંધો હતા. તેણે કહ્યું તેની વિરુદ્ધ અનેક ખોટી અફવાઓ ફેલવવામાં આવી રહી છે. સાથે જ હનીપ્રીત લોકોને અપીલ કરી છે તે આવી ખોટી અફવાઓમાં ના આવે. જ્યારે રિપોર્ટરે તેને પુછ્યું કે તમે આટલા દિવસ ક્યાં હતા તો તેણે કહ્યું કે મને સમજ જ નહતી પડતી કે હું શું કરું? હું જ્યાં પણ રહેતી કોઇને કોઇ સમસ્યા આવી જતી. તેણે કહ્યું તેણે અગાઉ જામીન માટે દિલ્હી ગઇ હતી અને હવે તે હરિયાણા-પંજાબ હાઇકોર્ટમાં પણ આ માટે અપીલ કરશે.

રામ રહીમ પર હનીપ્રીત
હનીપ્રીતે વધુમાં કહ્યું કે મારા પિતા નિર્દોષ છે. હનીપ્રીતે કહ્યું કે જે બે છોકરીઓએ આ આરોપ લગાવ્યો છે તે કદી સામે નથી આવી. પોતે રામ રહીમને ભગાવવા માટે કાવતરું કર્યું છે તે પર બોલતા હનીપ્રીતે કહ્યું કે એક છોકરી આટલી ફોર્સની વચ્ચે કોઇ પરમિશન લીધા વગર કેવી રીતે જઇ શકે. તમામ પુરાવા દુનિયા સામે છે. હું કોઇ તોફાનોમાં સામેલ નહતી. અને મારી વિરુદ્ધ કોઇની પાસે પુરાવા છે?

પિતાજી સાચા, દુનિયા ખોટી!
ડેરા પર થયેલી હત્યા મામલે હનીપ્રીતે કહ્યું કે શું ડેરામાંથી કોઇ હાડપિંજર મળ્યું છે? શું આરોપ લગાવનારી યુવતીઓ મળી છે? ખાલી એક પત્રના આધારે કેવી રીતે કોઇને દોષી જાહેર કરી શકાય? મારા પિતા નિર્દોષ છે. અને આવનારા સમયમાં તે નિર્દોષ સાબિત થશે. તેના ભૂતપૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તા દ્વારા લગાયેલા આરોપ પર હનીપ્રીતે કહ્યું કે હું વિશ્વાસ ગુપ્તાના મુદ્દે કોઇ પણ ટિપ્પણી કરવા નથી માંગતી.

નેપાળ ભાગવા પર જવાબ
હનીપ્રીતે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ક્યારે દેશ છોડીને નેપાળ નહતી ભાગી. તેણે કહ્યું કે હું એટલી ડરી ગઇ હતી કે હું મારી માનસિક સ્થિતિ તમને વર્ણાવી નથી શકતી. હું ડિપ્રેશનમાં જતી રહી હતી. જેના પિતાએ શીખવ્યું છે કે જીવશુ કે મરશું દેશ માટે તેની પર આજે દેશ દ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હું દેશદ્રોહી નથી
હનીપ્રીતે કહ્યું કે હું દેશદ્રોહી નથી. હું પિતાજીની સાથે કોર્ટે ગઇ હતી. મને પરવાનગી મળી હતી એટલે તેમની સાથે ગઇ હતી. કોઇ આટલી ફોર્સ વચ્ચે પરવાનગી વગર આવી, જઇ નથી શકતું. જ્યારે તોફાનો થયા ત્યારે હું ત્યાં હાજર જ નહતી. મને અને મારા પિતાને ન્યાય પર પૂરો વિશ્વાસ છે. અને અમને ન્યાય મળશે.

ફિલ્મો અંગે હનીપ્રીત
બોલીવૂડ કનેક્શન પર બોલતા હનીપ્રીતે કહ્યું કે હું ફિલ્મોમાં જવા નહતી ઇચ્છતી. હું પડદા પાછળ રહીને કામ કરવા ઇચ્છતી હતી. આ માટે મેં ફિલ્મ ડાયરેક્શનનું કામ પસંદ કર્યું. મેં ગુરુજીને ફિલ્મોમાં લઇને નહતી આવી. તે ડેરાનો નિર્ણય હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
