હનીપ્રીત ઇંસાએ કરી આગોતરા જામીનની અરજી
બે સાધ્વીઓ સાથે બળાત્કારના કેસમાં રામ રહીમને સજા થયા બાદ નાસી છૂટેલી હનીપ્રીત ઇંસા તરફથી આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે.
બે સાધ્વીઓ સાથે બળાત્કારના કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને જેલ થયા બાદથી હનીપ્રીત ઇંસા નાસી છૂટી છે. હનીપ્રીત ઇંસા દ્વારા સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરવામાં આવી હતી. હનીપ્રીતના વકીલ પ્રદીપ કુમાર આર્યએ આ અંગે માહિતી આપી હતી. આર્યએ સાથે એ પણ જણાવ્યું હતું કે, મંગળવારે મામલાની સુનવણી માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલના નેતૃત્વવાળી બેંચ સામે હાજર થશે. સાથે જ વકીલે કહ્યું હતું કે, જો કોર્ટ હનીપ્રીતની અરજી મંજૂર કરે તો તે શરણાગતિ સ્વીકારવા પણ તૈયાર છે. જો દિલ્હી હાઇકોર્ટ અરજી સ્વીકારે તો હનીપ્રીતને થોડા દિવસો માટે ટ્રાંઝિટ બેલ મળી શકે છે અને ત્યાર બાદ આ અરજી પંજાબ હાઇકોર્ટમાં ટ્રાન્સફર થઇ શકે છે. હનીપ્રીતની અરજી પર મંગળવારે બપોરે 2 વાગે સુનવણી થશે.

હનીપ્રીતે પોતાના આગોતરા જામીનની અરજીમાં મુખ્ય 3 વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેણે લ્ખયું છે કે, હું નાનપણથી ડેરા સચ્ચા સૌદા સાથે જોડાયેલી છું. મારા માથે જીવનું જોખમ છે. ગુરમીત રામ રહીમની પુત્રી હોવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. મંગળવારે સવારે 9.20 કલાકે હરિયાણાની પંચકુલા પોલીસ દ્વારા એ-9 ગ્રેટર કૈલાશ ખાતે હનીપ્રીતની ધરપકડ માટે છાપો મારવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ હનીપ્રીતને પકડવામાં નિષ્ફળ રહી. તો બીજી બાજુ હનીપ્રીતના વકીલે કહ્યું હતું કે, રામ રહીમની ધરપકડ બાદ પિતા-પુત્રીના સંબંધોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. હનીપ્રીત ગાયબ થઇ હોવાની વાતે વકીલે જણાવ્યું હતું કે, તે સુરક્ષાના કારણોસર સામે નહોતી આવી રહી.
બળાત્કારના કેસમાં રામ રહીમ દોષી સાબિત થયા બાદ હરિયાણા અને પંજાબમાં ફાટી નીકળેલ હિંસાના મામલે પોલીસ 43 લોકોને શોધી રહી છે, જેમાં હનીપ્રીતનું નામ સૌથી ઉપર છે. હનીપ્રીત પર હિંસા ભડકાવવા ઉપરાંત દેશદ્રોહનો પણ આરોપ છે. હનીપ્રીત વિરુદ્ઘ ઘણા સમયથી પોલીસે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
