મને ગોળી મારવી હોય તો મારી દો પરંતુ અયોધ્યામાં રામમંદિર તો બનાવીને જ રહીશઃ તોગડિયા
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરીથી એક વાર રામ મંદિરના નિર્માણ અંગે સરકાર પર પ્રહારો કર્યા છે.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરીથી એક વાર રામ મંદિરના નિર્માણ અંગે સરકાર પર પ્રહારો કર્યા છે. તોગડિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે જ્યારે ટ્રિપલ તલાક, જીએસટી પર કાયદો બની શકે છે તો રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ ન બની શકતો. સરકારને ચેતવણીભર્યા સૂરમાં કહ્યુ કે જો વિજયાદશમી સુધી રામ મંદિર નિર્માણ માટે કાયદો ન બન્યો તો લખનઉથી અયોધ્યા કૂચ કરવામાં આવશે. આના માટે ભલે અમારે ગોળીએ ખાવી પડે પરંતુ રામ મંદિરનું નિર્માણ તો થઈને જ રહેશે.

કાયદો ના બન્યો તો કૂચ કરીશુ અયોધ્યા
ઉલ્લેખનીય છે કે શુક્રવારે લખનઉથી ગાંધી ભવન પ્રેક્ષાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકારને રામ મંદિરના મુદ્દે પ્રહારો કર્યા. પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે જો મોદી સરકાર આવનારી વિજયાદશમી સુધી રામમંદિરનું નિર્માણ કાયદેસર નહિ કરે તો તે પોતે લખનઉથી અયોધ્યા કૂચ કરશે. તોગડિયાએ કહ્યુ કે રામ મંદિર બનીને જ રહેશે ભલે તેના માટે અમારે ગોળીઓ ખાવી પડે.

જીએસટી અને ત્રણ તલાક પર કાયદો બનાવી રહી છે, મંદિર નિર્માણ પર કેમ નહિ?
પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યુ કે સરકારે જનતાને રામ મંદિર નિર્માણ માટે વચન આપ્યુ હતુ પરંતુ હવે તો પોતાના વચનથી ફરી રહી છે. સરકાર મંદિરનો કાયદો બનાવવાના બદલે જીએસટી અને ત્રણ તલાક પર કાયદો બનાવી રહી છે. તોગડિયાએ કહ્યુ કે જ્યારે મંદિર બનાવવા માટે કોર્ટની રાહ જોવાની જ હતી તો કોઠારી બંધુઓ અને તમામ કારસેવકોનું બલિદાન કેમ આપવામાં આવ્યુ?

‘હિંદુઓનો સાથ હિંદુઓનો વિકાસ'
તોગડિયાએ કહ્યુ કે 2014 થી મોદીની સરકાર પૂર્ણ બહુમતમાં છે પરંતુ તેમછતા મંદિર નિર્માણમાં મોડુ કેમ થઈ રહ્યુ છે? પ્રવીણમ ભાઈ તોગડિયાએ કહ્યુ કે અમારુ સૂત્ર ‘હિંદુઓનો સાથ હિંદુઓનો વિકાસ’ છે. અમને કાશી-મથુરા અને અયોધ્યામાં મંદિર જોઈએ. મોદી સરકારને ઘેરતા કહ્યુ કે દેશમાં 10 કરોડ યુવાનો બેરોજગાર છે અને સરકારને બુલેટ ટ્રેન દેખાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
