હાઈવે અમે નહીં પોલીસે બ્લોક કર્યો છે, પોલીસ બ્લોકેજ હટાવે-રાકેશ ટિકૈત
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓના વિરોધમાં સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરવાની પરવાનગી માંગતા ખેડૂત સંગઠનોને સલાહ આપી છે.
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓના વિરોધમાં સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરવાની પરવાનગી માંગતા ખેડૂત સંગઠનોને સલાહ આપી છે. એક અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે (આંદોલનકારીઓએ) સમગ્ર દિલ્હી શહેરને ગૂંગળાવ્યું છે, તમે હાઇવે બ્લોક કર્યા છે. તમને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ હાઇવે બ્લોક કરીને લોકોને પરેશાન ન કરો. સામાન્ય માણસને પણ હલનચલન કરવાનો અધિકાર છે.

રાકેશ ટિકૈતની સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મુદ્દે પ્રતિક્રિયા
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. ટિકૈતે કહ્યું કે, હાઈવે અમે આંદોલનકારીઓએ બંધ કર્યો નથી, પોલીસે બંધ કર્યો છે. અને અમારાથી દિલ્હી બંધ નથી, જુઓ, સિંઘુ બોર્ડર પર પણ વાહનો અંદર સુધી ચાલી રહ્યાં છે. જો આગળની સરહદ દૂર કરવામાં આવે તો વાહનો આગળ વધી શકે. સાચી વાત એ છે કે અમને પણ પોલીસની નાકાબંધીથી સમસ્યા છે. જો તે અટકશે તો અમે આગળ દિલ્હી જતા રહીશું.

ખેડૂતો માટે આંદોલન સિવાય કોઈ ઉપાય છે?
રાકેશ ટિકૈતે કહ્યું કે, સાહેબ, અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી સાથે વાત કરે અને તેનો ઉકેલ લાવે. ખેડૂતો પરેશાન છે. તે મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે. તેમનું સાંભળવામાં આવી રહ્યું નથી.આ સાથે ટિકૈતે હરિયાણા સરકાર પર નિશાન સાધ્યું અને ટ્વીટ કર્યું કે, હરિયાણા સરકારે ખેડૂતોની ડાંગર ખરીદી 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે, જે ખેડૂતો સાથે છેતરપિંડી છે. ખેડૂત ડાંગર માટે મંડીમાં છે. અમારી માંગણી છે કે સરકારે આ ખેડૂત વિરોધી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ, અન્યથા ખેડૂતો માટે આંદોલન સિવાય બીજો રસ્તો શું છે?

કેન્દ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ
ટિકૈતે કેન્દ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો અને ગઈકાલે કહ્યું હતું કે, સરકાર મીડિયાને કહે છે કે તે ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે અને ખેડૂતો વાત કરી રહ્યા નથી. સરકાર પોતાની શરત પર વાત કરવા માંગે છે, ખેડૂતો આવી વાટાઘાટોમાં ભાગ નહીં લે. સરકારે કહ્યું છે કે તે કૃષિ કાયદાને પાછા ખેંચશે નહીં, તેનો અર્થ એ છે કે કાયદો પહેલેથી જ તૈયાર છે અને ઈચ્છે છે કે ખેડૂત આ કાયદા પર હસ્તાક્ષર કરે. ટિકૈતે મીડિયા અંગેના તેમના નિવેદન અંગે પણ સ્પષ્ટતા કરી અને કહ્યું કે, મેં ગઈકાલે જે કહ્યું હતું તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. ખરેખર મેં કહ્યું હતું કે અમારું આગળનું લક્ષ્ય મીડિયા હાઉસ છે. અમે ક્યારેય મીડિયા સામે કશું કહ્યું નથી. સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા ટિકૈતે કહ્યું કે, જો સરકાર કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો અમે દરેક રાજ્યને રાજધાની દિલ્હી બનાવીશું. જે પણ રાજ્ય ખેડૂતોને ટેકો આપતું નથી તેને અમે દિલ્હી બનાવવા માટે સમય નહીં લઈએ. એટલું જ નહીં ટિકૈતૈ કહ્યું કે, જો આ આંદોલન નિષ્ફળ જશે તો દેશમાં કોઈ આંદોલન સફળ થશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
