કાશ્મીરી પંડિતોને લઇ દિલ્હીમાં હાઇલેવલની બેઠક, મનોજ સિન્હાએ ગૃહમંત્રીને આપી હાલાતની જાણકારી
કાશ્મીર ખીણમાં બિન-મુસ્લિમોની હત્યા ચાલુ છે. ગુરુવારે, આતંકવાદીઓએ કુલગામમાં રાજસ્થાનના મેનેજર વિજય કુમારની હત્યા કરી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઘાટીમાં વધી રહેલી આતંકની ઘટનાઓ પર કેન્દ્ર સરકાર પ
કાશ્મીર ખીણમાં બિન-મુસ્લિમોની હત્યા ચાલુ છે. ગુરુવારે, આતંકવાદીઓએ કુલગામમાં રાજસ્થાનના મેનેજર વિજય કુમારની હત્યા કરી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઘાટીમાં વધી રહેલી આતંકની ઘટનાઓ પર કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. જેના માટે શુક્રવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ ભાગ લેવા પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ડીજી સીઆરપીએફ કુલદીપ સિંહ, સીમા સુરક્ષા દળના વડા પંકજ સિંહ, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એલજી મનોજ સિન્હાએ ગૃહમંત્રીને ઘાટીની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
સ્થળાંતર વધ્યુ
કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગ ચાલુ છે. બેંક મેનેજરની હત્યા કરતા પહેલા આતંકીઓએ કુલગામમાં ટીચર રજની બાલાની હત્યા કરી નાખી હતી. ત્યારથી સ્થાનિકો સિવાયના લોકોમાં ભયનો માહોલ છે. એક અહેવાલ અનુસાર, ગુરુવાર સુધીમાં 100 થી વધુ કાશ્મીરી પંડિતો ઘાટી છોડી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ઘાટીમાં ફરી 1990 જેવી સ્થિતિ બની ગઈ છે, જ્યાં કોઈપણ સમયે લોકોને ગોળી મારી દેવામાં આવે છે.
ટ્રાન્સફરની માંગ કરી રહ્યાં છે કાશ્મીરી પંડિતો
ઘાટીમાં કાશ્મીરી પંડિતો સતત આંદોલન કરી રહ્યા છે. જ્યારથી ત્યાં આતંકવાદી ઘટનાઓ વધી છે ત્યારથી તેઓ કાશ્મીરથી ટ્રાન્સફરની માંગ કરી રહ્યા છે. કાશ્મીરી પંડિત કર્મચારીઓનું કહેવું છે કે તેઓ ત્યાં સુરક્ષિત નથી, આવી સ્થિતિમાં સરકારે તેમને જમ્મુના અમુક ભાગમાં મોકલવા જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રાજીનામું આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
