આ કારણે એમ જે અકબર સામે કાર્યવાહી નહિ કરે મોદી સરકાર!
કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત દબાણ વધી રહ્યુ છે કે એમ જે અકબર સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ પક્ષને એ વાતનો ડર છે કે જો આમ કરવામાં આવશે તો આ પ્રકારના તમામ મામલા સામે આવી શકે છે.
કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર જે રીતે તમામ મહિલા પત્રકારોએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે તે બાદ સતત તે સવાલોથી ઘેરાયેલા છે. કેન્દ્ર સરકાર અને ભાજપ પર સતત દબાણ વધી રહ્યુ છે કે એમ જે અકબર સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ પક્ષને એ વાતનો ડર છે કે જો આમ કરવામાં આવશે તો આ પ્રકારના તમામ મામલા સામે આવી શકે છે જેમાં લોકો પર આરોપ લાગે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી શકે છે.

કાર્યવાહી નહિ કરવાનું કારણ
આ જ કારણ છે કે મી ટુ અભિયાન હેઠળ જે રીતે એમ જે અકબર સામે આરોપ લાગ્યા અને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી તેમછતાં એમ જે અકબરનો વિદેશ પ્રવાસ ખતમ કરવામાં આવ્યો નહિ. સરકારના અંદરના સૂત્રોનું કહેવુ છે કે જો એમ જે અકબરને તેમના પદ પરથી હટાવવામાં આવે તો આ પ્રકારના અન્ય આરોપ પણ લાગી શકે છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી શકે છે. એટલુ જ નહિ પક્ષને એ પણ ડર છે કે જો એમ જે અકબર સામે કાર્યવાહી કરવામાં આવે તો નેતાઓનું બ્લેકમેઈલિંગ શરૂ થઈ શકે છે. વિપક્ષ તમામ નેતાઓને બ્લેકમેલ કરી શકે છે અને તેમની છબી બગાડી શકે છે.

અધિકૃત ફરિયાદ નોંધાઈ નથી
જોવા જેવી વાત એ છે કે એમ જે અકબર સામે અધિકૃત રીતે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને સોશિયલ મીડિયા પર તેમની સામે ચાલી રહેલા અભિયાનને કોર્ટમાં પડકારી શકાતો નથી. એક પૂર્વ પત્રકારે કહ્યુ કે લોકો શરાબ પીતી વખતે એકબીજા સાથે વાત કરે છે અને યૌન શોષણના 20 વર્ષ જૂના મામલે ચર્ચા કરે છે. આમાં કોઈ તર્ક નજર આવતો નથી. સૂત્રોનું માનવુ છે કે જો ઉતાવળે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો આનાથી પક્ષ અને સરકારની છબીને નુકશાન પહોંચી શકે છે.

નહિ થાય કાર્યવાહી
એમ જે અકબર અંગે પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. એક જૂથ ઈચ્છે છે કે એમ જે અકબર સામે કાર્યવાહી થાય જ્યારે બીજા જૂથનું કહેવુ છે કે એમ જે અકબર પર લાગેલા આરોપોને સાબિત નથી કરી શકાતા. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મામલાની તપાસની વાત કહી હતી. જ્યારે સ્મૃતિ ઈરાનીનું કહેવુ છે કે આ મામલે એમ જે અકબરે જવાબ આપવો જોઈએ. સૂત્રોની માનીએ તો સરકાર તેમની સામે કોઈ કાર્યવાહી નહિ કરે કારણકે મંત્રી તરીકે તેમના કામ પર કોઈ સવાલ ઉભા નથી થયા. એડિટર તરીકે સરકારનું એમ જે અકબર સાથે કોઈ લેવાદેવા નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
