હરિયાણાની જનતાને મનિષ સિસોદિયાએ આપી ગેરેન્ટી, કહ્યું- ઝાડુનું બટન દબાવો, 24 કલાકમાં...
Haryana assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો પાસે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મોટા મોટા વાયદાઓ અને દાવાઓ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી હરિયાણામાં તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સાથે સરકાર બનાવવામાં આમ આદમી પાર્ટીની મહત્વની ભૂમિકા રહેશે તેવો દાવો પણ કરી રહી છે.
ચૂંટણી પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ તેના દિગ્ગજ નેતાઓને હરિયાણામાં મોકલ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સંજય સિંહ અને રાઘવ ચડ્ડાનો સમાવેશ થાય છે. આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હરિયાણામાં સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નારનૌદમાં એક રેલીનું આયોજન કર્યું હતું. નારનૌંદ વિધાનસભા ક્ષેત્ર ખૂબ મોટો છે.

આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ રણબીર સિંહ લોહાનને ટિકિટ આપી છે. જ્યારે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના જસબીર સિંહ ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અભિમન્યુ બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. દેવીલાલ પરિવારનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ-કોંગ્રેસ અને AAP માટે જીતવી એક પડકાર છે.
આ રેલીમાં સંબોધતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, કોઈ 24 કલાક વીજળીની ગેરંટી નથી આપતું, પરંતુ અરવિંદ કેજરીવાલજી આ ગેરંટી આપે છે કે, ઝાડુંનું બટન દબાવો, 24 કલાક વધુ મફત વીજળી મેળવો.
આ રેલીને સંબોધતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, જો હરિયાણામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો 24 કલાકમાં તમને મફત વીજળી મળશે.
આ જાદુ કેવી રીતે કરવો, તે ફક્ત હરિયાણાના લાલ અરવિંદ કેજરીવાલ જ જાણે છે, તે ભાજપ-કોંગ્રેસના હાથની વાત નથી.
મનિષ સિસોદિયાએ વચન આપતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બીમાર પડે છે, ત્યારે પરિવારના સભ્યોને ચિંતા થાય છે કે, કેટલી વીઘા જમીન વેચાશે, પત્નીના ઘરેણાં વેચાશે કે કેમ, પરંતુ દિલ્હીની હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલો કરતાં સારી સારવાર મળે છે.
મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, આજે હરિયાણાના લાખો લોકો દિલ્હીમાં પણ સારી સારવાર સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. હરિયાણામાં પણ આ ચમત્કાર થઈ શકે છે, આ માટે તમારે ફક્ત ઝાડુંનું બટન દબાવવું પડશે.
आज नारनौंद की जनता के बीच रोडशो। https://t.co/BCS3sCmkWU
— Manish Sisodia (@msisodia) October 1, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
