હાર્દિકે દેશભરના પટેલોને અનામત માટે એક થવા કરી હાકલ
દેશની રાજધાની દિલ્હી પહોંચેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આજે પોતાનું આંદોલન દેશભરમાં ફેલાવા માટે પટેલોને હાકલ કરી. સાથે જ હાર્દિકે પટેલ નવનિર્માણ સેનાની સત્તાવાર જાહેરાત પણ કરી. દિલ્હીમાં પત્રકારો સામે વાત કરતા હાર્દિક પટેલનો અંદાજ અહીં પણ તેજાબી જ રહ્યો હતા.
વધુમાં હાર્દિક આ પત્રકાર પરિષદમાં બિહાર ચૂંટણી માટે નીતિશકુમારને સમર્થન પણ જાહેર કર્યું. જો કે જ્યારે પત્રકારો દ્વારા આ સમર્થનને રાજકીય રમત ગણાવી ત્યારે તેમણે કહ્યું કે તેમણે નીતિશને રાજકીય રીતે નહીં પણ સમાજના હિતને ધ્યાનમાં રાખીને સર્મથન જાહેર કર્યું છે.
ત્યારે હાર્દિક પટેલ દિલ્હી ખાતેની આ પત્રકાર પરિષદમાં કયા કયા મુદ્દા અને સવાલોના કેવા કેવા જવાબ આપ્યા અને શું છે હાર્દિક પટેલની પટેલ નવનિર્માણ સેનાની આગળની રણનિતી તેના વિષે વિસ્તૃત અહેવાલ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બિનરાજકીય સંગઠન
હાર્દિક પટેલે દિલ્હી ખાતે આજે પટેલ નવનિર્માણ સેનાની સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે આ સંગઠન બિનરાજકીય છે અને તે દ્વારા દેશભરના પાટીદારો પોતાના હક માટે લડાઇ લડશે.

નીતિશને સમર્થન
બિહાર ચૂંટણી પહેલા પટેલ નવનિર્માણ સેનાએ નીતિશકુમારને સમર્થન આપ્યું. જો કે હાર્દિક આ સમર્થનથી સમાજને ફાયદો થશે તેવો રાગ આલાપ્યો.

શું આગળની રણનીતી
હવે પટેલ નવનિર્માણ સેના ખાલી ગુજરાતમાં જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી તેમ કુલ 15 રાજ્યમાં વસતા પાટીદાર, મરાઠા, કુર્મી અને ગુર્જન લોકોને એક છત્રની નીચે લાવશે.

ઓનલાઇન જોડાણ
વધુમાં હાર્દિક પટેલે કહ્યું આ આંદોલનમાં અત્યાર સુધી 8 લાખથી વધુ લોકો ઓનપેપર તેમની સાથે જોડાઇ ચૂક્યા છે. અને આ આંદોલનના સમર્થનમાં દરેક રાજ્યોમાં સમર્થન રેલીઓ પણ થશે.

95 ટકા પટેલોની છે દયનીય હાલત
ગુજરાતમાં પટેલો ખૂબ જ સદ્ધર છે તે મામલે હાર્દિક પટેલ જવાબ આપતા કહ્યું કે ખાલી 5 ટકા પટેલો જ સમુદ્ધ છે. બાકીના 95 ટકા પટેલો મીડલ ક્લાસ કરતા પણ નીચે દયનીય હાલતમાં જીવન પસાર કરી રહ્યા છે. તેણે કહ્યું કે પટેલોની હાલત કફોડી છે.

ગુજરાત પોલિસ અંગ્રેજો કરતા પણ ખરાબ છે
હાર્દિકે પોલિસ દમનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ગુજરાતની પોલિસે ઘરમાં ધૂસીને મા-બેન સામે ગાળો બોલી દમન કર્યું છે. ગુલામ ભારતમાં પણ અંગ્રેજો આવું દમન નથી કર્યું.

હાર્દિકે ઉચ્ચારી ચિમકી
હાર્દિકે વળી આ પ્રસંગે ચમકી પણ ઉચ્ચારી કે પાટીદાર સમાજના કોઇ પણ વ્યક્તિને કંઇ પણ થયું તે અમે શાંખી નહીં લઇએ. અને તે તેનો જવાબ જરૂરથી આપશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
