જ્ઞાનવાપી મસ્જિદ: મુસ્લિમ પક્ષે કમિશ્નરને બદલવાની કરી માંગ, પક્ષપાતનો લગાવ્યો આરોપ
કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે આજે પણ ચાલી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે વહીવટી ટીમ સર્વે માટે અહીં પહોંચી ત્યારે ભારે સૂત્રોચ્ચાર થયો હતો. સર્વેની કાર્યવાહી અંગે AIMIMના વડા
કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે આજે પણ ચાલી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે વહીવટી ટીમ સર્વે માટે અહીં પહોંચી ત્યારે ભારે સૂત્રોચ્ચાર થયો હતો. સર્વેની કાર્યવાહી અંગે AIMIMના વડા અસુદ્દીન ઓવૈસીએ તેને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તો બીજી તરફ અંજુમન ઉનાઝાનિયા સસાજીદ કમિટીના એડવોકેટ અભય નાથ યાદવે કોર્ટ કમિશનર પર ગંભીર આક્ષેપો કરી તેમની બદલીની માંગણી કરી છે.

કોર્ટ કમિશનરને હટાવવાની માંગ કરતી અરજી સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં જુમન ઇંતજામિયા સસાજીદ કમિટીના એડવોકેટ અભય નાથ યાદવ દ્વારા રજૂ કરવામાં આવી છે. મુસ્લિમ પક્ષનો આરોપ છે કે કોર્ટ કમિશનર પક્ષપાત કરી રહ્યા છે. આવેદનમાં એવી માંગણી કરવામાં આવી છે કે કોર્ટ કમિશનર અજયકુમાર મિશ્રાને હટાવીને નામદાર કોર્ટે પોતે અથવા તેમના સ્થાને અન્ય કોઈ વરિષ્ઠ વકીલને કમિશનર તરીકે નિયુક્ત કરવા જોઈએ, જેથી નિષ્પક્ષ ન્યાય મળે. આ કેસમાં કોર્ટે સુનાવણીનો સમય બપોરે 2 વાગ્યે નક્કી કર્યો હતો.
શું છે પુરો મામલો?
ઓગસ્ટ 2021 માં, વારાણસીની સ્થાનિક કોર્ટમાં મા શ્રૃંગાર ગૌરી સ્થળ પર દરરોજ દર્શન અને પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી. વારાણસી સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રવિ કુમાર દિવાકરની કોર્ટે આ વર્ષે 26 એપ્રિલે મંદિરના એડવોકેટ કમિશનરને કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ અને અન્ય સ્થળોએ ઈદ પછી વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સર્વે અને નિરીક્ષણ માટે એડવોકેટ અજય કુમારની નિમણૂક કરી હતી અને તેમને 10મી મેના રોજ થનારી આગામી સુનાવણી પહેલા રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
