યુપીના આ શહેરમાં થાય છે રાવણની પૂજા, જાણો તેનો ઈતિહાસ
ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે.
અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક રાવણનું વ્યક્તિત્વ કદાચ એવુ જ છે કે આપણે રાવણને આમ દોષિત માનીએ છીએ અને તેના પૂતળાને તાળીઓના ગડગડાટ વચ્ચે બાળીએ છીએ. પરંતુ શું તમે વિચાર્યુ છે કે રાવણનું આ જ વ્યક્તિત્વ તેની પૂજા પણ કરાવે છે. સમગ્ર દેશમાં વિજયાદશમી પર રાવણના પ્રતીક રૂપે વધ કરીને ભલે તેનું પૂતળુ બાળવામાં આવતુ હોય પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. આટલુ જ નહિ પૂજા કરવા માટે રાવણનું મંદિર પણ ત્યાં હાજર છે જે માત્ર વર્ષમાં દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે.

રાવણનું આ મંદિર ઉદ્યોગ નગરી કાનપુરમાં છે. વિજયાદશમીના દિવસે આ મંદિરમાં વિધિ-વિધાન સાથે રાવણનું દૂગ્ધ સ્નાન અને અભિષેક કરીને શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ પૂજન સાથે રાવણની આરતી કરવામાં આવે છે. બ્રહ્મ બાણ નાભિમાં લાગવા અને રાવણની મૃત્યુ હોવા વચ્ચે કાળચક્રએ જે રચના કરી તેણે રાવણને પૂજવા યોગ્ય બનાવી દીધો. આ તે સમય હતો જ્યારે રામે લક્ષ્મણને કહ્યુ હતુ કે રાવણના પગ તરફ ઉભા રહીને સમ્માનપૂર્વક નીતિ જ્ઞાનનું શિક્ષણ ગ્રહણ કરો. કારણકે ધરાતલ પર ક્યારેય રાવણ જેવો કોઈ જ્ઞાની પેદા થયો છે ના તો થશે. રાવણનું આ જ સ્વરૂપ પૂજનીય છે અને આને જ ધ્યાનમાં રાખીને કાનપુરમાં રાવણની પૂજા કરવામાં આવે છે.
સન 1868 માં કાનપુરમાં બનેલા આ મંદિરના નિર્માણ સમયથી લઈને આજ સુધી નિરંતર રાવણમની પૂજા થાય છે. લોકો દર વર્ષે મંદિર ખુલવાની રાહ જુએ છે. મંદિર ખુલવા પર લોકો અહીં પૂજા અર્ચના ખૂબ ધૂમધામથી કરે છે. સમગ્ર વિધિ વિધાન સાથે પૂજા કરી રાવણની આરતી પણ ઉતારવામાં આવે છે. કાનપુરમાં હાડર રાવણનું આ મંદિર વિશે માન્યતા છે કે અહીં મન્નત માંગવાથી લોકોના મનની ઈચ્છા પૂરી થાય છે. લોકો એટલા માટે દશેરાના દિવસે રાવણની વિશેષ પૂજા કરે છે. અહીં દશેરાના દિવસે રાવણનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. ઘણા ઓછો લોકો જાણતા હશે કે રાવણને જે દિવસે રામના હાથે મોક્ષ મળ્યુ તે દિવસે રાવણ પેદા પણ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
